શકુંતલા દેવી
ભારતીય લેખિકા અને માનસિક ગણનયંત્ર / From Wikipedia, the free encyclopedia
શકુંતલા દેવી (૪ નવેમ્બર ૧૯૨૯ – ૨૧ એપ્રિલ ૨૦૧૩) ભારતીય ગણિતશાસ્ત્રી, લેખક અને માનસિક ગણનયંત્ર (કેલ્ક્યુલેટર) હતા, જેઓ "માનવ કમ્પ્યુટર" તરીકે પ્રખ્યાત હતા. તેમની પ્રતિભાથી તેમણે 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'ની ૧૯૮૨ ની આવૃત્તિમાં સ્થાન મેળવ્યું હતું.[1][2][3][4] ૧૮ જૂન, ૧૯૮૦ના રોજ લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં શકુંતલાદેવીએ પોતાનો વિશ્વ કિર્તિમાન હાંસલ કર્યો હોવા છતાં આ કિર્તિમાનનું પ્રમાણપત્ર મરણોપરાંત ૩૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ આપવામાં આવ્યું હતું. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ વિના મૈસૂર વિશ્વવિદ્યાલયમાં તેમની અંકગણિત ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું.[1][3]
શકુંતલા દેવી | |
---|---|
જન્મની વિગત | (1929-11-04)4 November 1929 |
મૃત્યુ | 21 April 2013(2013-04-21) (ઉંમર 83) |
અન્ય નામો | માનવ કમ્પ્યૂટર |
વ્યવસાય |
|
જીવનસાથી | પરિતોષ બેનરજી (લ. 1964; છૂ. 1979) |
સંતાનો | ૧ |
તેમણે વિદ્યાર્થીઓ માટે આંકડાકીય ગણતરીઓને સરળ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.[5][2] તેમણે જીવનના પાછલા વર્ષોમાં સંખ્યાબંધ પુસ્તકો લખ્યા હતા, જેમાં નવલકથાઓ તેમજ ગણિત, કોયડાઓ અને જ્યોતિષ વિશેના ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમણે ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ્સ પુસ્તક લખ્યું હતું, જે ભારતમાં સમલૈંગિકતાનો પ્રથમ અભ્યાસ માનવામાં આવે છે.[6]