સોમનાથ
ભારતમાં આવેલા ૧૨ શિવ જ્યોતિર્લિંગોમાંનું એક / From Wikipedia, the free encyclopedia
સોમનાથ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. ભગવાન શિવના ૧૨ પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ અહીં સોમનાથમાં છે.[1] સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની ખ્યાતિથી લલચાઈને લુંટ તથા ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી ઇસ્લામીક આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર અડીખમ રહ્યું છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે.
Quick Facts સોમનાથ મંદિર, ધર્મ ...
સોમનાથ મંદિર | |
---|---|
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | ગીર સોમનાથ |
દેવી-દેવતા | શિવ (સોમનાથ) |
તહેવાર | મહાશિવરાત્રી |
સંચાલન સમિતિ | શ્રી સોમનાથ ટ્રસ્ટ, ગુજરાત |
સ્થાન | |
સ્થાન | પ્રભાસ પાટણ, વેરાવળ |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 20°53′16.9″N 70°24′5.0″E |
સ્થાપત્ય | |
સ્થાપત્ય પ્રકાર | ચાલુક્ય શૈલી |
પૂર્ણ તારીખ | ૧૯૫૧ (હાલનું મંદિર) |
બંધ કરો