૧૯૬૨નું ભારત-ચીન યુદ્ધ
From Wikipedia, the free encyclopedia
ચીન-ભારત યુદ્ધ તે ચીન-ભારત સરહદી સંઘર્ષ (simplified Chinese: 中印边境战争; traditional Chinese: 中印邊境戰爭; pinyin: Zhōng-Yìn Biānjìng Zhànzhēng) તરીકે પણ ઓળખાય છે. આ યુદ્ધ 1962માં ભારત અને ચીન વચ્ચે લડાયું હતું. આ યુદ્ધનું મુખ્ય કારણ હિમાલયની વિવાદિત સરહદ હતી, પરંતુ આ યુદ્ધમાં અન્ય કારણોએ પણ ભૂમિકા ભજવી હતી. ભારતે દલાઇ લામાને આશ્રય આપ્યો તે સમયે 1959ના તિબેટના બળવા બાદ સરહદ પર શ્રેણીબદ્ધ હિંસક બનાવો બન્યા હતા. ભારતે ફોરવર્ડ પોલિસીનો આરંભ કર્યો હતો જે હેઠળ તેણે સરહદ પર ચોકીઓ મૂકી હતી, જેમાં 1959માં ચીનના પ્રમુખ ઝોઉ એનલાઇ દ્વારા જાહેર કરાયેલી વાસ્તવિક અંકુશ રેખાના પૂર્વીય હિસ્સારૂપ, મેકમોહન લાઇનની ઉત્તરે આવેલી ઘણી ચોકીઓનો પણ સમાવેશ થતો હતો.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ક્યુબાની મિસાઇલ કટોકટીની સાથે સાથે, 20 ઓક્ટોબર 1962ના રોજ લડાખ અને મેકમોહન લાઇન પર ચીને લડાખ અને મેકમોહન લાઇન પર એકસાથે હુમલાઓ શરૂ કર્યાં. બન્ને મોરચે ચીનના દળોએ ભારતીય સૈન્ય પર જીત મેળવી અને પશ્ચિમી મોરચે ચાઉશુલમાં રેઝાન્ગ લાને, તેમજ પૂર્વીય મોરચે તવાન્ગને કબ્જે કર્યું. 20 નવેમ્બર 1962ના રોજ ચીને યુદ્ધવિરામ જાહેર કરતા આ યુદ્ધનો અંત આવ્યો હતો અને ભારત વિવાદિત ક્ષેત્રમાંથી ખસી ગયું હતું.
ચીન-ભારત યુદ્ધની કપરા સંજોગો માટે નોંધ લેવામાં આવે છે જેમાં આશરે 4,250 મીટર (14,000 ફૂટ)ની ઊંચાઇએ ભિષણ યુદ્ધ ખેલાયું હતું.[1] આ યુદ્ધને પગલે બન્ને પક્ષે લશ્કરની હિલચાલના સંદર્ભમાં અનેક સમસ્યાઓ ધ્યાનમાં આવી હતી. ચીન-ભારત યુદ્ધની એટલે પણ નોંધ લેવાય છે કે તેમાં ચીન અને ભારત, બન્નેમાંથી કોઇ પણ પક્ષે નૌકાદળ અથવા વાયુસેનાને સામેલ કરી નહોતી