શામળાજી
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
શામળાજી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા અરવલ્લી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ભિલોડા તાલુકામાં આવેલું એક મોટું ગામ અને પ્રાચીન યાત્રાસ્થળ છે. અહીંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ પસાર થાય છે. આ ઉપરાંત શામળાજી રાજ્ય ધોરી માર્ગ દ્વારા પણ આસપાસનાં મહત્વનાં સ્થળો સાથે જોડાયેલું છે.
આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે.
|
શામળાજી | |
---|---|
મંદિર સંકુલ - બાજુ પરથી દેખાવ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | અરવલ્લી જિલ્લો |
દેવી-દેવતા | શ્યામ રંગના વિષ્ણુ અથવા કૃષ્ણ શામળાજી |
તહેવારો | કાર્તિક પૂર્ણિમાના દિવસે વાર્ષિક મેળો |
સ્થાન | |
સ્થાન | શામળાજી |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 23°41′17″N 73°23′13″E |
સ્થાપત્ય | |
પૂર્ણ તારીખ | ૧૧મી સદી |
શામળાજી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન અને વેપારધંધાનો છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, બટાકાં, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, આઇ.ટી.આઇ., બી.એડ. કોલેજ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
શામળાજી નજીક શ્યામલ વન આવેલ છે, જેમાં વિવિધ જાતનાં વૃક્ષો જોવા મળે છે. શામળાજી મંદિર નજીક એક કુવો છે. જેને વાવ કહે છે. શ્યામલ વન નું કામ નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. શ્યામલ વન એ પ્રાચીન શામળાજીના કરમાં બાઈ તળાવમાં બાંધવામાં આવ્યું છે. શામળાજીમાં નાગધરા તરીકે પ્રખ્યાત વાંઘું છે. જ્યાં કાળી ચૌદસ ના દિવસે લોકો ત્યાં સ્નાન કરવા માટે આવે છે.