આહાર સુરક્ષા
From Wikipedia, the free encyclopedia
આહાર સુરક્ષા અનાજની સુરક્ષા અને વ્યક્તિને તેની પ્રાપ્યતા સાથે સંદર્ભ ધરાવે છે. જે ઘરમાં રહેનારાઓએ ભૂખ્યાં ન રહેવું પડે અને તેમને ભૂખમરાની ભીતિ ન હોય તેવા પરિવારને આહાર-સુરક્ષિત ઘર તરીકે ગણી શકાય. વર્લ્ડ રિસૉર્સિઝ ઇનસ્ટિટ્યૂટના (કહેવા) પ્રમાણે, છેલ્લાં કેટલાક દાયકાઓથી વૈશ્વિક માથાદીઠ અન્ન ઉત્પાદન નોંધપાત્ર રીતે વધી રહ્યું છે.[1] 2006માં, એમએસએનબીસીએ (MSNBC) અહેવાલ આપ્યો હતો કે, વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા, કુપોષણથી પીડાતા લોકોની સંખ્યા કરતા વધી ગઈ છે – વિશ્વમાં વધુ વજન ધરાવતા લોકોની સંખ્યા એક અબજ કરતા વધારે હતી, અને 8,00 મિલિયન (80 કરોડ) લોકો કુપોષણથી પીડાતા હતા.[2] 2004ના બીબીસી (BBC)ના લેખ પ્રમાણે, વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન, વ્યાપક રીતે સ્થૂળતાના રોગ પીડાઈ છે.[3] વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં 1990ના દાયકાથી 30 મિલિયન લોકોને ભૂખ્યા લોકોની શ્રેણીમાં ઉમેરવામાં આવ્યા છે અને 46% બાળકો ઓછું વજન ધરાવે છે.[4]
વિશ્વમાં અંદાજે 8,52 મિલિયન લોકો, ખૂબ જ ગરીબીના કારણે લાંબા સમયથી ભૂખમરાથી પીડાય છે, જ્યારે બે અબજ જેટલા લોકો ગરીબીની ભિન્ન માત્રાના કારણે થોડા-થોડા સમયે આહાર સુરક્ષાના અભાવમાં જીવે છે. (સ્ત્રોત : એફએઓ (FAO), 2003). 60 લાખ બાળકો દરવર્ષે ભૂખમરાથી પીડાય છે – દરરોજ 17,000.[5] 2007ના અંતભાગમાં, નિકાસ નિયંત્રણો અને ગભરાટમાં કરવામાં આવેલી ખરીદી, અમેરિકાના ડોલરની કિંમતમાં ઘટાડો,[6] બાયોફ્યૂઅલ (જૈવઈંધણ) માટે ખેતીમાં વધારાથી,[7] વિશ્વમાં તેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ કરતા વધારાના ભાવો પર પહોંચતા, [8] વિશ્વની વસ્તીમાં વૃદ્ધિ,[9] અબોહવામાં પરિવર્તન,[10], વસાહતી અને ઔદ્યોગીક વિકાસ માટે ખેતીલાયક જમીનનો નાશ, [11][12] અને ભારત તેમજ ચીનમાં ગ્રાહકોની માગમાં વધારો,[13] વિગેરેને કરાણે ભાવોમાં ફરી વધારો થયો.[14][15] જોકે આવા કેટલાક પરિબળો આજે પણ ચર્ચાનો વિષય છે. કેટલાકની દલીલ છે કે બાયોફ્યૂઅલની નાટ્યાત્મક[16] ભૂમિકાને કારણે 2006થી ભાવ વૃદ્ધિનું સ્તર નીચું આવ્યું છે. તેમ છતાં, વિશ્વના ઘણા દેશોમાં હાલમાં આહાર ઘર્ષણ થયા છે.[17][18][19]
"’ટોચ" સાથે જોડાયેલ અસાધારણ બીનાએ વિશ્વને ઘેરી લીધું છે, જેના કારણે, ખાદ્યાન્ન સુરક્ષા જાળવવી ઉત્તરોત્તર મુશ્કેલ બની રહી છે, જેમ કે, પીક ઑઈઅલ (ખનિજ તેલની ટોચ), પીક વૉટર (જળપ્રાપ્યતાની ટોચ), પીક ફૉસ્ફરસ (ફૉસ્ફરસના ઉત્પાદનની ટોચ),પીક ગ્રેઈન (અનાજ ઉત્પાદનની ટોચ) અને પીક ફીશ (માછલીના ઉત્પાદનની ટોચ.) નવેમ્બર 2007ની સ્થિતિ પ્રમાણે, પૃથ્વીની અડધા કરતા વધુ વસ્તી, અંદાજે 3.3 અબજ લોકો શહેરી વિસ્તારોમાં રહે છે. ખેતપેદાશોની આપૂર્તિમાં કોઈપણ પ્રકારની ખલેલ બહુ ટૂંકસમયમાં પ્રમાણમાં વિલક્ષણ એવી શહેરી અનાજ કટોકટીને નોતરી શકે છે.[20] વેપારી જણસોના ભાવોમાં તેજી છતાં, હાલ ચાલી રહેલી વૈશ્વિક ધિરાણ કટોકટી એ ખેતધિરાણને પણ અસર કરી છે.[21] આહાર સુરક્ષાએ જટિલ મુદ્દો છે, જે અનેક વિષયોના છેદનબિંદુ પર ઊભો છે.
વર્ષ 2009થી બારીકાઈથી વિશ્લેષણ કરતા આહાર સુરક્ષાના જર્નલ : ધ સાઈન્સ, સોશ્યોલોજી, એન્ડ ઈકોનોમિક્સ ઑફ ફૂડ પ્રોડક્શન એન્ડ એક્સેસ ટુ ફૂડ નું (વિજ્ઞાન, સમાજશાસ્ત્ર તથા અનાજ ઉત્પાદન અને તેની પ્રાપ્યતાનું અર્થશાસ્ત્ર)નું પ્રકાશન શરૂ થયું.[22] વિકસતા રાષ્ટ્રોમાં, ઘણીવખત 70 ટકા કે તેથી વધુની વસ્તી ગ્રામીણ વિસ્તારોમાં રહે છે. આ સંદર્ભમાં, સિમાંત ખેડૂતો અને ભૂમિહીન લોકોને આજીવિકા, તેમને સમુદાય સાથે રહેવાની તક પૂરી પાડે છે. વિશ્વના ઘણાં વિસ્તારોમાં,જમીનનો માલિકી હક્ક મળતો નથી, આથી, જે લોકો આજીવિકા માટે ખેતર મેળવવા માગે છે, તેમને જમીનની ગુણવત્તા સુધારવા માટે બહુ થોડું પ્રોત્સાહન મળે છે.
અમેરિકામાં, લગભગ 2,00,000 ખેડૂતો છે, (જે) કુલ વસ્તીના 1% કરતા પણ ઓછાં છે. અન્ન વપરાશના પ્રમાણ અને ગરીબી વચ્ચે સીધો સંબંધ છે. અત્યંત ગરીબીથી બચવા માટે પૂરતા આર્થિક સ્ત્રોત ધરાવતા પરિવારો અત્યંત તીવ્ર ભૂખમરાથી પિડાય તેવી શક્યતા નહિવત્ હોય છે; જ્યારે ગરીબ પરિવારો તીવ્ર ભૂખમરાથી પીડાતા જ નથી, પરંતુ જનસંખ્યાનો આ તબક્કા પર, અનાજની તંગી અને દુકાળનું સૌથી વધુ જોખમ તોળાતું હોય છે.
સામાન્ય રીતે આહાર સુરક્ષા માટે વાપરવામાં આવતી બે વ્યાપક વ્યાખ્યાઓ સંયુક્ત રાષ્ટ્રો (UN)ના અનાજ અને કૃષિ સંસ્થાન (ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન) (FAO) અને અમેરિકાના કૃષિ વિભાગમાંથી (યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચર)(USDA)આવે છે.
- જ્યારે બધા લોકો, દરેક ટંકમાં, આહાર જરૂરિયાતો અને ખોરાક પસંદગી માટે પૂરતા, સલામત અને પોષક આહાર સુધી ભૌતિક, સામાજિક [23] આર્થિક પહોંચ ધરાવતા હોય, જે સક્રિય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે જરૂરી હોય, [24] ત્યારે અનાજ સુરક્ષા પ્રવર્તે છે, તેમ કહી શકાય.
- ઘર માટે આહાર સુરક્ષાનો મતલબ છે કે, સક્રિય અને આરોગ્યપ્રદ જીવન જીવવા માટેના પૂરતા ખોરાક સુધી તમામ સભ્યોની દરેક સમયે પહોંચ. આહાર સુરક્ષામાં ઓછામાં ઓછા (1) પોષણની દ્રષ્ટિએ પૂરતા અને સલામત ખોરાકની તાત્કાલિક પ્રાપ્યતા, અને (2) સામાજીક રીતે સ્વીકાર્ય રસ્તાઓ (એટલે કે અવારનવાર આપાતકાલિન આહાર આપૂર્તિ, રસ્તા પરથી સાફ કરીને, કે અન્ય અંતિમવાદી રીતરસમો પર આધાર રાખ્યા વગર) દ્વારા સ્વીકાર્ય ખોરાક મેળવવાની ખાતરીબદ્ધ સક્ષમતા(USDA)[25]
આહારની અસલામતિના તબક્કા આહાર સુરક્ષિત સ્થિતિથી લઈને પૂર્ણ દુકાળ સુધીના હોય શકે છે. "દુકાળ અને ભૂખમરાના મૂળ આહારની અસલામતિમાં સમાયેલા છે. અનાજની અસુરક્ષાને તીવ્ર અથવા હંગામીની શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય. તીવ્ર અનાજ સુરક્ષા ગંભીર દુકાળની કે ભૂખમરાની સ્થિતિમાં પરિવર્તિત થવાની સંભાવના રહેલી હોય છે; આહાર સુરક્ષા આ સંભાવનાને દૂર કરે છે. [તીવ્ર] ભૂખમરો દુકાળ નથી. તે કુપોષણતા જેવું છે, અને ગરીબી સાથે સંકળાયેલ છે, તે મોટાભાગે ગરીબ રાષ્ટ્રોમાં અસ્તિત્વ ધરાવે છે."[26]