ગૌતમ અદાણી
ભારતીય ઉદ્યોગપતિ / From Wikipedia, the free encyclopedia
ગૌતમ શાંતિલાલ અદાણી (જન્મ ૨૪ જૂન ૧૯૬૨) એક ભારતીય ઉદ્યોગપતિ છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમૂહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે.[3]
ગૌતમ અદાણી | |
---|---|
જન્મની વિગત | ગૌતમ શાંતિલાલ અદાણી (1962-06-24) 24 June 1962 (ઉંમર 61) |
વ્યવસાય | ચેરમેન, અદાણી ગ્રુપ પ્રમુખ, અદાણી ફાઉન્ડેશન |
પ્રખ્યાત કાર્ય | સ્થાપક, અદાણી ગ્રુપ |
આવક | 92.2 અબજ US$ (as of 24 November 2021[update])[1][2] |
જીવનસાથી | પ્રીતિ અદાણી |
સંતાનો | ૨ |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
તેમણે ૧૯૮૮માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાય સંસાધનોને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો.[4] ફોર્બ્સના મત મુજબ જૂન ૨૦૨૧માં તેમના કુટુંબની કુલ સંપતિ અંદાજે ૭૮.૬ અબજ ડોલર છે.[5] અદાણી પોર્ટ્સ ઍન્ડ સેઝ લિમિટેડમાં તેમનો શેર ફાળો ૬૬% છે. આ ઉપરાંત, અદાણી એન્ટરપ્રાઈઝમાં ૭૫%, અદાણી પાવરમાં ૭૩%, અને અદાણી ટ્રાન્સમીશનમાં તેમનો કુલ શેર ફાળો ૭૫% છે.[6] ૨૦૧૭માં ઈન્ડિયા ટુડે દ્વારા કરાયેલ મોજણી અનુસાર તેઓને ભારતના સૌથી શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં ૪થું સ્થાન પ્રાપ્ત થયું હતું.[7] ૧૭ જૂન ૨૦૨૧ના રોજ અદાણી ગ્રુપના શેરોના ભાવમાં ઘટાડો થવાથી તેમણે એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનું પદ ગુમાવ્યું હતું.[8]