![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ee/Jashodaben_Narendrabhai_Modi_painted.jpg/640px-Jashodaben_Narendrabhai_Modi_painted.jpg&w=640&q=50)
જશોદાબેન
From Wikipedia, the free encyclopedia
જશોદાબેન નરેન્દ્રભાઈ મોદી[1] (જન્મ ૧૯૫૨) એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની છે. તેમના લગ્ન બાળ વયમાં વડનગરમાં તેમના કુટુંબીઓ દ્વારા કરાવાયા હતા. ઈ.સ. ૧૯૬૮માં જ્યારે નરેન્દ્ર મોદી ૧૮ વર્ષના હતા ત્યારે તેમના લગ્ન થયા હતા તે સમયે જશોદાબેન ૧૬ વર્ષના હતા. લગ્ન બાદ અમુક સમયમાં જ નરેન્દ્રભાઈએ જશોદાબેન સાથે રહેવાનું છોડી દીધું અને તેઓ સંન્યાસ અંગીકાર કરવા ૩ વર્ષ સુધી ભ્રમણ કર્યું, તેમના કાકા સાથે ધંધાર્થે જોડાયા અને ત્યારબાદ સમાજ જીવનની શરૂઆત કરી.[2] ૨૦૧૪ના પ્રચાર કાર્ય સુધી તેમણે જશોદાબેન સાથેના લગ્નને સત્તાવાર રીતે સ્વીકાર્યા ન હતા. જશોદાબેન પોતાને નરેન્દ્રભાઈના પત્ની તરીકે જ ઓળખાવે છે. આગળ જતા તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને શિક્ષિકા તરીકે કારકીર્દી બનાવી.[3]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/ee/Jashodaben_Narendrabhai_Modi_painted.jpg/640px-Jashodaben_Narendrabhai_Modi_painted.jpg)
શિક્ષિકાના કાર્યમાંથી નિવૃત્તિ મેળવી તેઓ પ્રાર્થનામય શાંત જીવન જીવે છે.[4]