![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Drapeau_Junagadh_vector.svg/langgu-640px-Drapeau_Junagadh_vector.svg.png&w=640&q=50)
જૂનાગઢ રજવાડું
From Wikipedia, the free encyclopedia
જૂનાગઢ રજવાડું અથવા જૂનાગઢ રિયાસત સૌરાષ્ટ્રનું રજવાડું હતું, ઇસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ રાજ હેઠળના ભારતના વર્ષો દરમ્યાન આ રજવાડા/રિયાસતના શાસકો બાબી વંશના મુસલમાન નવાબો હતા. આ રાજ્ય વેસ્ટર્ન કાઠિયાવાડ એજન્સીની દેખરેખ હેઠળ આવતું હતું અને રાજ્યનો કુલ વિસ્તાર 8,643 square kilometres (3,337 sq mi)નો હતો. ઈ.સ. ૧૯૪૧ની વસતી ગણતરી પ્રમાણે જૂનાગઢ રાજ્યની વસતી ૬,૭૦,૭૧૯ હતી. આ રાજ્યની સરહદો પોરબંદર, બાંટવા, માણાવદર, સરદારગઢ, ગોંડલ, બિલખા, જેતપુર, મેંદરડા, માનપુર (ભાવનગર), બગસરા અને ગાયકવાડી રાજ્યની સરહદોને અડતી હતી.
જૂનાગઢ સ્ટેટ જુનાગઢ રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૭૩૦–૧૯૪૮ | |||||||
![]() સૌરાષ્ટ્રમાં જુનાગઢ રજવાડું અન્ય રજવાડાંઓ સાથે ગુલાબી રંગમાં દર્શાવેલ છે. | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૨૧ | 8,643 km2 (3,337 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૨૧ | 465493 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૭૩૦ | ||||||
• જૂનાગઢનું ભારતમાં વિલિનીકરણ | ૧૯૪૮ | ||||||
| |||||||
આજની સ્થિતિ | ગુજરાત, ભારત | ||||||
![]() |
જૂનાગઢ રજવાડું સલામી રાજ્ય હતું, જેને બહારના પ્રસંગોમાં ૧૩ તોપની અને ખાનગી પ્રસંગોમાં ૧૫ તોપની સલામીનું બહુમાન પ્રાપ્ત હતું. અહીંના મુસ્લિમ બાબી શાસકો નવાબ અને દીવાનનો ખિતાબ ધરાવતા હતા. એ સમયના ભારતમાં કુલ ૧૮ મુસ્લિમ રાજ્યો હતા જેમાં જૂનાગઢ રાજ્ય પાંચમાં ક્રમાંકનું ગણાતું હતું. જૂનાગઢ રાજ્યમાં ૧૩ મહાલો (તાલુકાઓ)માં વહેંચાયેલાં કુલ ૮૬૬ ગામો હતા. સ્વતંત્રતા પહેલાંના અરસામાં જૂનાગઢ રાજ્ય બ્રિટિશ સરકારને ખંડણી પેટે ₹ ૨૮,૩૯૪, ગાયકવાડને પેશકશીના ₹ ૩૭,૨૧૦ ભરતું અને કાઠિયાવાડના કુલ ૧૩૭ નાના રજવાડાઓ પાસેથી જોરતલબીના ₹ ૯૨,૪૨૧ મેળવતું હતું. સને: ૧૯૪૩-૪૪માં આ રાજ્યની કુલ વાર્ષિક આવક આશરે ₹ ૧૯૦ લાખ હતી.[1]
અભિનેત્રી પરવીન બાબી જૂનાગઢના રાજવી કુટુંબની હતી.