પાલીતાણાના જૈન મંદિરો
શત્રુંજ્ય પર્વત પર આવેલા જૈન મંદિરો / From Wikipedia, the free encyclopedia
પાલીતાણાના જૈન મંદિરો એ ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલ પાલીતાણા શહેરની શત્રુંજય ટેકરી ઉપર આવેલ જૈન મંદિર સંકુલ છે. આ શહેર પહેલાં પાદલિપ્તપુર નામે જાણીતું હતું, તેને મંદિરોનું નગર કહેવાતું હતું. શત્રુંજયનો અર્થ "આંતરિક શત્રુઓ પર વિજય પમાડનાર સ્થળ" અથવા "આંતરિક શત્રુને જીતનાર" એવો થાય છે.
શ્રી શત્રુંજય તીર્થ, પાલીતાણા | |
---|---|
સિદ્ધાચલ, વિમલગિરિ, સિદ્ધગિરિ | |
શત્રુંજય પહાડ પર આવેલ જૈન મંદિર સમુહ | |
ધર્મ | |
જોડાણ | જૈન ધર્મ |
દેવી-દેવતા | ઋષભદેવ |
તહેવારો | મહાવીર જયંતી, ફાગણ ફેરી |
સંચાલન સમિતિ | આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ |
સ્થાન | |
સ્થાન | પાલીતાણા, ભાવનગર જિલ્લો, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 21°28′58.8″N 71°47′38.4″E |
લાક્ષણિકતાઓ | |
મંદિરો | ૮૬૩ |
સ્મારકો | ૨૭૦૦ |
ઊંચાઈ | 603 m (1,978 ft) |
શ્વેતાંબર જૈનો દ્વારા શત્રુંજય ટેકરી પરના મંદિરો પવિત્ર ગણવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે ૨૪માંના ૨૩ તીર્થંકરો (નેમિનાથ સિવાયના) એ આ ટેકરી ઉપર આવ્યા હતા. અહીં લગભણ આરસમાં કોરણી ધરવતા ૮૬૩ મંદિરો છે તેમનો સમાવેશ મુખ્ય ૯ સંકુલોમાં થયેલો છે. અમુક સંકુલો ખૂબ મોટા છે, જ્યારે મોટા ભાગના સંકુલો નાના છે. અહીંનું મુખ્ય મંદિર પ્રથમ તીર્થંકર ઋષભદેવને સમર્પિત છે. શ્વેતાંબર મૂર્તિપૂજકો માટે આ સૌથી પવિત્ર સ્થળ છે. મુખ્ય મંદિર સુધી પહોંચવા ૩૫૦૦ પગથિયાં ચડવા પડે છે. જૈન સમાજમાં ઝારખંડમાં આવેલા શિખરજી અને પાલીતાણા સૌથી પવિત્ર યાત્રાધામો છે.[1][2] જૈનો માને છે કે નિર્વાણ પામવા માટે જીવનમાં આ બે સ્થળોની યાત્રા આવશ્યક છે.[3]
દિગંબર જૈનો આ ટેકરીઓ ઉપર માત્ર એક જ મંદિર ધરાવે છે.[4]
રસપ્રદ વાત એ છે કે હિંગરાળ અંબિકાદેવી કે હિંગળાજ માતા આ ટેકરીની અધિષ્ઠાતા દેવી મનાય છે. તેઓ હિંદુ દેવી છે જેઓ પ્રાય: બલુચિસ્તાન, સિંધ કચ્છ અને સૌરાષ્ટ્રમાં પુજાય છે.
આ ટેકરીઓ ઉપર અંગાર પીર નામના એક મુસ્લિમ સંતની દરગાહ પણ છે. કહેવાય છે કે ૧૪મી સદીના શરૂઆતના મુસ્લીમ આક્રમણ સમયે તેમણે આ મંદિરોની રક્ષા કરી હતી હતી.
આ મંદિર નગર દૈવી શક્તિઓના નિવાસ તરીકે વસાવેલું હોવાથી અહીં સાંજ પછી રહેવાની પુજારી સહિત કોઈને પણ પરવાનગી નથી.