ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલ
From Wikipedia, the free encyclopedia
રાજયપાલ અને ઉપરાજ્યપાલ એ એક બંધારણીય હોદ્દો છે જેઓ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રથમ નાગરિક પણ હોય છે. ભારતીય સંવિધાનના આર્ટિકલ ૧૫૪ - રાજ્યની કારોબારી સત્તા મુજબ રાજ્યપાલ અને ઉપરાજ્યપાલને સત્તા આપવામાં આવી છે. રાજયોનો તમામ વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. તેઓ મુખ્યમંત્રીની સલાહ મુજબ રાજ્યના પ્રધાન મંડળની રચના કરે છે.[1][2]
રાજ્યપાલ તેમજ ઉપરાજ્યપાલની નિમણુકો ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે, રાષ્ટ્રપતિ જ તેમને હોદ્દા પરથી દૂર પણ કરી શકે છે. તેમની મુદ્દત ૫ વર્ષની હોય છે, પરંતુ આ પહેલા પણ તેમને દૂર કરી શકાય છે. તેઓ રાષ્ટ્રપતિની સલાહ મુજબ રાષ્ટ્રપતિ શાસન પણ લગાવી શકે છે અને આ દરમિયાન તેઓ રાજ્યની સર્વોચ્ચ સત્તા ધરાવે છે.