ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન
From Wikipedia, the free encyclopedia
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન એ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના વૈધાનિક વડાનો હોદ્દો છે. આ પદાસીન વ્યક્તિ ભારત સરકારના સચિવ તરીકે અંતરિક્ષ વિભાગમાં વહીવટકર્તા તરીકે પણ સેવા આપે છે. આ અંતર્ગત તેઓ સીધા ભારતના વડાપ્રધાનને જવાબદાર હોય છે. [3]
Quick Facts ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન, નિમણૂક ...
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠનના ચેરપર્સન | |
---|---|
ઇસરોનો લોગો | |
નિમણૂક | ભારત સરકાર |
પદ અવધિ | અચોક્કસ |
પ્રારંભિક પદધારક | વિક્રમ સારાભાઈ |
સ્થાપના | ૧૯૬૩ (આઈએનસીઓએસપીએઆરના ચેરમેન તરીકે) |
વાર્ષિક આવક | ₹૨.૫ lakh (US$૩,૩૦૦) (Monthly basic)[2] |
વેબસાઇટ | Chairman ISRO, Secretary DOS |
બંધ કરો
ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ અનુસંધાન સમિતિ (આઈએનસીઓએસપીએઆર)ની સ્થાપના પરમાણુ ઉર્જા વિભાગ(DAE) અંતર્ગત વિક્રમ સારાભાઈની અધ્યક્ષતામાં ૧૯૬૨માં થઈ હતી જેનું નામ બદલીને ૧૯૬૯માં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઇસરો) કરવામાં આવ્યું.[4] ૧૯૭૨માં ભારત સરકારે અંતરિક્ષ આયોગની સ્થાપના કરીને ઇસરોને સીધું અંતરિક્ષ વિભાગ હેઠળ મૂક્યું.[5]
સારાભાઈ સહિત અત્યાર સુધીમાં ઇસરોના કુલ અગિયાર ચેરપર્સન થયા છે. આ પૈકી ચેરપર્સન તરીકે સૌથી લાંબો સમયગાળો બાર વર્ષનો સતીશ ધવનનો છે.