![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/de/Brazil_nuts.jpg/640px-Brazil_nuts.jpg&w=640&q=50)
માનવશરીર અને સેલેનીયમ
From Wikipedia, the free encyclopedia
સેલેનીયમ એ એક બહુ જ શકિતશાળી ખનીજ છે. જો કે માનવશરીરને બહુ જ નજીવા પ્રમાણમાં એની જરુર પડે છે. શરીરમાં કેટલાક અસ્થિર અણુઓ હોય છે, જેને મુક્ત (ફ્રી) રેડીકલ કહે છે. એ શરીરના કોષો પર હુમલો કરી કેન્સર જન્માવે છે. આ મુક્ત રેડીકલને દુર કરનાર એન્ઝાઈમમાં કેન્દ્રીય સ્થાન સેલેનીયમનું હોય છે. આમ સેલેનીયમ કેન્સર સામે રક્ષણ આપે છે.[1][2][3][4]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/de/Brazil_nuts.jpg/640px-Brazil_nuts.jpg)
સેલેનીયમ મુખ્યત્વે બ્રાઝીલ નટના ફળ (૩૦ ગ્રામમાં ૮૪૦ માઈક્રોગ્રામ), અનાજ, કઠોળ અને થોડા પ્રમાણમાં ફળ-શાકભાજીમાં હોય છે. સેલેનીયમની રોજની જરુરીયાત માત્ર ૫૫ માઈક્રોગ્રામની હોય છે. કેન્સર સામે રક્ષણ મેળવવા માટે ૧૦૦થી ૩૦૦ માઈક્રોગ્રામ લેવું જોઈએ. માત્ર એક બ્રાઝીલ નટના ફળમાંથી ૧૨૦ માઈક્રોગ્રામ જેટલું સેલેનીયમ મળી રહે છે. આહારમાં સેલેનીયમની ઉણપથી હ્રદય ફુલી જાય છે, અને એનું કાર્ય બરાબર થઈ શકતું નથી. વળી એની ઉણપથી થાઈરોઈડનું કાર્ય પણ ખોરંભાય છે. ઉપરાતં રોગપ્રતિકારક શક્તિ માટે પણ સેલેનીયમ જરુરી છે.