ભારતીય રાજકારણી From Wikipedia, the free encyclopedia
રાહુલ ગાંધી (દેવનાગરી: राहुल गांधी; જન્મ ૧૯ જૂન ૧૯૭૦) ભારતના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના રાજકારણી છે.[1] તેઓ કેરળની વાયનાડના સાંસદ છે.[2] તેઓ ઇન્દિરા ગાંધીના પૌત્ર તથા નહેરુ-ગાંધી પરિવારની ચોથી પેઢીના છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
રાહુલ ગાંધી લોકસભા સાંસદ | |
---|---|
પ્રમુખ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
પદ પર 16 ડિસેમ્બર ૨૦૧૭ – ૩ ઓગસ્ટ ૨૦૧૯ | |
પુરોગામી | સોનિયા ગાંધી |
અનુગામી | સોનિયા ગાંધી |
અધ્યક્ષ, ભારતીય યુવા કોંગ્રેસ | |
પદ પર | |
Assumed office ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૭ | |
પુરોગામી | પદ સ્થાપિત |
અધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન | |
પદ પર | |
Assumed office ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૭ | |
પુરોગામી | પદ સ્થાપિત |
મહાસચિવ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
પદ પર ૨૫ સપ્ટેમ્બર ૨૦૦૭ – ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ | |
સંસદ ના સાંસદ વાયનાડ, કેરળ | |
પદ પર ૨૩ મે ૨૦૧૯ – ૨૩ માર્ચ ૨૦૨૩ | |
ઉપાધ્યક્ષ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ | |
પદ પર ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ – ૧૬ ડિસેમ્બર ૨૦૧૭ | |
પુરોગામી | પદ સ્થાપિત |
અનુગામી | પદ સ્થગિત |
અંગત વિગતો | |
જન્મ | દિલ્હી, ભારત | 19 June 1970
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
સંબંધો | નહેરુ-ગાંધી પરિવાર |
માતા-પિતા | રાજીવ ગાંધી સોનિયા ગાંધી |
નિવાસસ્થાન | ૧૨, તુઘલક લેન દિલ્હી, ભારત |
માતૃ શિક્ષણસંસ્થા | દિલ્હી યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી રોલીન્સ કોલેજ ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રીજ |
ક્ષેત્ર | રાજનેતા |
સહી |
રાહુલ ગાંધી એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ અને ૧૭ મી લોકસભાના સભ્ય, કેરળના વાયનાડથી છે. તે ઉપરાંત, ગાંધી ભારતીય યુવા કૉંગ્રેસના અને ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ તરીકે સેવા આપે છે.
રાહુલનો જન્મ સોનિયા અને રાજીવ ગાંધી ના નેહરુ-ગાંધી પરિવારમાં થયો હતો, જ્યારે સુરક્ષાનાં કારણોસર રાહુલે સ્કૂલમાં સ્થાન લીધું હતું. તેમણે ઉપનામ હેઠળ વિદેશમાં અભ્યાસ કર્યો હતો, તેમની ઓળખ માત્ર કેટલાક પસંદગીઓ માટે જાણીતી છે જેમાં યુનિવર્સિટીના અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓ પણ સામેલ છે. રોલિન્સ અને કેમ્બ્રિજની યુનિવર્સિટીઓમાં ઇન્ટરનેશનલ રિલેશન્સ એન્ડ ડેવલપમેન્ટ સ્ટડીઝમાં ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, ગાંધીએ મુંબઇ સ્થિત ટેકનોલોજી આઉટસોર્સિંગ કંપની બૉપોસ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરતા પહેલાં લંડનમાં એક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મોનિટર ગ્રૂપમાં કામ કર્યું હતું.
૨૦૦૪માં ગાંધીએ રાજકારણમાં પ્રવેશ કર્યો, તે પહેલાં જાહેર ક્ષેત્રમાં દૂર રહ્યા હતા. તેમણે સફળતાપૂર્વક અમેઠી બેઠકથી ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓ લડી હતી, જે અગાઉ તેમના પિતા દ્વારા યોજાયેલી બેઠક હતી; તેઓ ૨૦૦૯ અને ૨૦૧૪માં આ મતવિસ્તારમાંથી ફરી જીત્યા હતા.
પક્ષના રાજકારણ અને રાષ્ટ્રીય સરકારમાં તેમની મોટી સંડોવણી માટે કૉંગ્રેસ પક્ષના નિવૃત્ત સૈનિકો તરફથી કોલ્સ વચ્ચે, ગાંધી વર્ષ ૨૦૧૩માં કોંગ્રેસ ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા, તેમણે અગાઉ જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. ૨૦૧૪ની ભારતીય સામાન્ય ચૂંટણીમાં ગાંધીએ કોંગ્રેસની ઝુંબેશ ચલાવી હતી; પાર્ટીએ તેના ઇતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં ૨૦૬ બેઠકોની સરખામણીમાં માત્ર ૪૪ બેઠકો જીતી હતી.
ડિસેમ્બર ૨૦૧૭માં ગાંધી કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા અને જુલાઇ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી પછી તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું હતું; ત્યારબાદ તેમનાં માતા સોનિયા ગાંધી પક્ષનાં કામચલાઉ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યાં.[3] અલબત્ત તેઓ રાજીવ ગાંધી ફાઉંડેશન અને રાજીવ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે.
રાહુલ ગાંધીનો જન્મ દિલ્હીમાં થયો હતો, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના બે બાળકોમાં તેઓ પ્રથમ છે. પ્રિયંકા ગાંધીના તે મોટાભાઈ છે. તેમના દાદી ઇન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા અને તેમના વડ-દાદા જવાહરલાલ નહેરુ ભારતના પ્રથમ વડાપ્રધાન હતા.[4]
દહેરાદૂન (ઉત્તરાખંડ)ની દૂન સ્કૂલમાં પ્રવેશ પહેલા તેઓ દિલ્હીની સેન્ટ. કોલંબા સ્કુલમાં[5] હતા. ઉપરાંત તેઓ તેમના પિતાની અલ્મા મેટર માં[6] પણ હતા, સુરક્ષાના કારણોને ધ્યાને રાખીને 1981થી 83 સુધી તેઓને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું.[7] 1994માં ફ્લોરિડાની રોલિન્સ કૉલેજમાંથી તેમણે બી.એ. (B.A.) પૂરૂ કર્યું.[8] 1995માં ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજ ખાતેથી તેમણે ડેવલોપમેન્ટ સ્ટડિઝ વિષયમાં એમ.ફિલ. (M.Phil.) પૂરુ કર્યુ.[9]
સ્નાતક થયા બાદ રાહુલ ગાંધીએ મિશેલ પોર્ટર સંચાલિત એક વહીવટીય સલાહકાર કંપની મોનિટર ગ્રુપમાં કામ કર્યુ હતું.[10] 2002માં તેઓ મુંબઇ-સ્થિત ટેક્નૉલોજી આઉટસોર્સિંગ કરતી કંપની બેકોપ્સ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના અધ્યક્ષોમાં એક હતા.[11]
2003માં, રાજકારણમાં રાહુલ ગાંધીનો પ્રવેશ મુદ્દો માધ્યમોમાં મોટે પાયે છવાયેલો રહ્યો હતો, જોકે તેમણે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.[12] તેઓ જાહેર પ્રસંગોએ તેમજ કોંગ્રેસની બેઠકમાં તેમની માતા સાથે જોવા મળતા.[12] આ ઉપરાંત તેમણે પાકિસ્તાન નો સદ્દભાવના પ્રવાસ કર્યો, જ્યાં 14 વર્ષ બાદ પ્રથમ વાર બંને દેશો વચ્ચે યોજાયેલી એક દિવસીય આંતર રાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણી જોવા તેઓ બહેન પ્રિયંકા ગાંધી સાથે ગયા હતા.[13]
2004માં તેમણે અને પ્રિયંકા ગાંધી એ પિતાની પૂર્વે રહેલી બેઠક અમેઠીની મુલાકાત લીધી, તે સમયે બંને રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાએ વેગ પકડ્યો. આ સમયે આ બેઠક સોનિયા ગાંધી અંતર્ગત હતી. તેમણે કોઇ નિશ્ચિત નિર્ણય આપવાનું ટાળ્યું અને કહ્યુ કે, “હું રાજકારણથી વિરુદ્ધ નથી. જો કે હું ક્યારે રાજકારણમાં પ્રવેશ કરીશ એ નિશ્ચિત નથી, પરંતુ કરીશ જરૂર."[14] માર્ચ 2004માં, તેમણે રાજકારણમાં પોતાના પ્રવેશની જાહેરાત કરતા કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં પિતાની પૂર્વ બેઠક અમેઠીથી 2004ની લોક સભા ચૂંટણીમાં લડશે.[15]
વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા પૂર્વે તેમના કાકા સંજય ગાંધીની આ બેઠક હતી. ઉપરાંત નજીકની રાયબરેલી બેઠક પર ફેરબદલ ન થઈ ત્યાં સુધી તેમની માતા સોનિયા ગાંધી પણ આ બેઠક પરથી ચૂંટણી લડતા હતા. એક સમયે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું વર્ચસ્વ ખૂબ જ ઓછું હતું, લોકસભાની કુલ 80 બેઠકોમાંથી ફક્ત 10 બેઠકો જ કોંગ્રેસ પાસે હતી.[14] એ સમયે તેમની આ પહેલથી રાજકીય ટીકાકારો ખૂબ આશ્ચર્ય પામ્યા, તેઓ માનતા હતા કે તેમના કરતા બહેન પ્રિયંકા વધુ પ્રભાવશાળી હતા, અને તેમની સફળ થવાની શક્યતા વધુ છે. તેમના ચોંકવનારા પગલાને કારણે, એ સમયે પક્ષના સત્તાઘીશો પાસે પણ માધ્યમોને આપવા માટે કરિક્યુલમ વીટાઇ (પોતાના જીવનનો ટૂંકો અહેવાલ) ન હતો. તેમની આ જાહેરાતથી એવું અનુમાન કરવામાં આવ્યું, કે ભારતના સૌથી જાણીતા રાજકીય પરિવારના યુવા સભ્યનો રાજકારણમાં પ્રવેશ એ ભારતના યુવા જૂથો વચ્ચે કોંગ્રેસ પક્ષમાં નવા પ્રાણ પૂરશે.[16] વિદેશી માધ્યમો સાથેની પ્રથમ વાતચીતમાં તેમણે પોતાની જાતને દેશને એક કરતા વ્યક્તિ તરીકે રજૂ કર્યા હતા અને ભારતની ફૂટ પાડનાર રાજનીતિને વખોડી હતી. તેમણે જણાવ્યું હતુ કે તેઓ જ્ઞાતિ અને ધર્મના તણાવને ઓછો કરવાનો પ્રયત્ન કરશે.[15]
આ વિસ્તારમાંથી તેમના પરિવાર સાથેના લાંબા સંબંધોને પગલે સ્થાનિક લોકોએ તેમની ઉમેદવારીને આવકારી હતી.[14] ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી તરીકે તેઓ પ્રચંડ બહુમતથી ચૂંટણી જીત્યા, પરિવારની એ બેઠક પરની મજબૂત પકડ ફરી પાછી મેળવતા, તેમણે સ્થાનિક સાશક પક્ષ ભારતીય જનતા પક્ષને લગભગ 1,00,000 જેટલા મતોથી હાર આપી.[17]
2006 સુધી તેમણે બીજી કોઈ ઓફિસ ના રાખી અને સતત તેમના મતદાન ક્ષેત્રના પ્રશ્નો અને ઉત્તર પ્રદેશના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કર્યુ, સમગ્ર દેશ તથા આંતર રાષ્ટ્રીયમાધ્યોમાં એવી ચર્ચા ઉઠી કે આ દ્વારા સોનિયા ગાંધી આગામી ભવિષ્યમાં તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતા તરીકે ઉભરી શકે તે રીતે તેમને વિકસવાની તક આપી રહ્યા છે.[18]
જાન્યુઆરી 2006માં હૈદરાબાદ ખાતે યોજાયેલા ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસના એક સંમેલનમાં, પક્ષના હજારો સભ્યોએ સાથે મળીને ગાંધીને પક્ષમાં આગળ વધી ને મોટી નેતાગીરી લેવા માટે જણાવ્યું, અને માંગ કરી તે તેઓ સંમેલનમાં પ્રતિનિધિઓને સંબોધે. તેમણે કહ્યું કે, “હું તમારી લાગણીઓ અને સહકારનો આદર કરું છું અને તેને બિરદાવું છું. તમને ખાતરી આપું છું કે તમને હું નીચે નહીં નમવા દઉં.“ પરંતુ તેમણે થોડી ધીરજ ધરવા તથા હાલમાં કોઇ ઉચ્ચ સ્તરીય ભૂમિકા નહીં ભજવે તેમ જણાવ્યું.[19] 2006માં રાય બરેલીમાં થયેલી ચૂંટણીઓ માટે ગાંધી તેમજ તેમની બહેન (જેમના લગ્ન રોબર્ટ વાડેરા સાથે થયા છે) તેઓ સાથે મળીને માતા માટે પ્રચાર અભિયાન હાથ ધર્યું હતું, જેમાં તેઓ સરળતાથી 4,00,000 જેટલા મતોથી વિજેતા બન્યા હતા.[20]
2007ની ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચાર અભિયાનમાં તેઓ આગળ પડતા નામોમાં સામેલ હતા. જો કે એ સમયે કોંગ્રેસ 8.53% મત સાથે ફક્ત 22 બેઠક જ જીતી શકી. આ ચૂંટણીએ રજૂ કરેલા ચિત્રમાં સામે આવ્યું કે 16 વર્ષમાં પ્રથમ વખત ભારતની પછાત જાતિનું પ્રતિનિધિત્વ કરતો બહુજન સમાજવાદી પક્ષ એ ઉત્તર પ્રદેશની સૌથી મોટો પક્ષ બન્યો હતો.[21]
24, સપ્ટેમ્બર 2007ના રોજ પક્ષ મંત્રીમડળમાં ફેરફાર કરવામાં આવ્યા, જેમાં રાહુલ ગાંઘીને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના સભ્ય સચિવ નિમવામાં આવ્યા.[22] આ જ સમયે તેમને ભારતીય યુવા કોંગ્રેસ અને ભારતના રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘની પણ જવાબદારી સોંપવામાં આવી.[23]
પોતાની જાતને યુવા નેતા તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયાસ રૂપે તેમણે નવેમ્બર 2008માં, તેમના નિવાસસ્થાન 12, તુઘલખ લેન ખાતે, 40 જેટલા લોકોની પસંદગી કરી, જેઓ આગામી સમયમાં ભારતીય યુવા કોંગ્રેસ માટેની થીંક બનવાની હતી. સભ્ય સચિવની નિમણૂક થઈ તે સમયથી જ તેઓ આ સંસ્થા માટે આતુર હતા.[24]
રાહુલ ગાંધીના નેજા હેઠળ આઇવાયસી (IYC) અને એનએસયુઆઇ (NSUI)ના સભ્યોમાં સંભવિત રીતે હજારોથી લાખોનો વધારો થયો છે.[25]
ભારતની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની પારસ્પરિક ચર્ચામાં રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થી મંડળ સામાન્ય રીતે ડાબેરી વિચારધારા ધરાવતા હોય છે. તેમનો પક્ષ આઈએનસી (INC) છે, જો કે રાહુલની ઉતાવળી જેએનયુ (JNU) મુલાકાતને "ભારતીય યુવાનોને રાજકારણમાં આકાર્ષવા માટેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે." 1982માં કટોકટી લાદવાના તેમના નિર્ણયને કારણે ઈન્દિરા ગાંધી જ્યારે આ યુનિવર્સિટી પરિસરની મુલાકાતે ગયા, તે સમયે તેમને ડાબેરી વિદ્યાર્થી સંઘો તરફથી મોટાપાયે વિરોધનો સામનો કરવો પડ્યો હતો.[26]
વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ રેગીંગથી માંડીને ભારતના કથળેલા રાજકારણ, દલિત પરિવારોની તેમની મુલાકાત, દેશનો આર્થિક વિકાસ તેમજ શિક્ષણમાં સુધારા જેવા વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. જોકે કેટલાક અખબારોએ જેએનયુ (JNU) ખાતેની રાહુલની મુલાકાતને રાજકીય ગણાવતા નોંધ્યું કે તેઓએ જેએનયુ (JNU) સ્થિત એનએસયુઆઈ (NSUI) શાખાને મજબૂત કરવા માટે આ મુલાકાત યોજી હતી.[26]
2009ની લોકસભાની ચૂંટણીમાં તેમણે અમેઠી મતવિસ્તારની ચૂંટણીમાં તેમના નજીકના પ્રતિસ્પર્ધિને 3,33,000 મતોથી હાર આપી બેઠક જાળવી રાખી.
આ ચૂંટણીમાં કોંગ્રેસે ઉત્તર પ્રદેશમાં 80 લોકસભા બેઠકોમાંથી 21 બેઠકો જીતીને પોતાની તાકાતને વધુ મજબૂત બનાવી, જેનો મોટાભાગનો શ્રેય રાહુલ ગાંધીને જાય છે.[27] તેમણે સમગ્ર દેશમાં છ અઠવાડિયામાં 125 સભાઓ સંબોધી. તેઓ પક્ષના વર્તુળમાં આરજી (RG)ના નામથી ઓળખાવા લાગ્યા.[28]
વર્ષ 2008માં ગાંધી પ્રતિષ્ઠાને ઉતારી પાડવા માટે તેમની આસપાસ દેખીતી રીતે કેટલીક તાકાતનો ઉપયોગ કરાયો હોય તેમ સ્પષ્ટ રીતે જણાઈ આવતું હતુ. મુખ્યપ્રધાન માયાવતી અને ઉપકુલપતિ વી. કે. સુરી દ્વારા ચંદ્રશેખર આઝાદ યુનિવર્સિટીના પ્રેક્ષકગૃહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા રોકવામાં આવ્યા હતા.[29] વી. કે. સુરીને રાજ્યપાલ શ્રી. ટી. વી. રાજેશ્વર (જે પણ કુલપતિ) દ્વારા હટાવવામાં આવ્યા, જેઓ ગાંધી પરિવારના સમર્થક અને સુરીની નિયુક્તિ કરનાર હતા.[30] આ સમગ્ર ઘટનાક્રમને શિક્ષણના રાજકીયકરણ તરીકે દર્શાવવામાં આવ્યો, અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં સાબિતી રૂપે કાર્ટુનિસ્ટ અજીત નિનાન દ્વારા કાર્ટુનમાં દર્શાવવામાં આવ્યું:"રાજવંશ સંબધી પ્રશ્નોના ઉત્તર રાહુલજીના પદે ચાલનારા સૈનિકો દ્વારા આપવામાં આવ્યા."[31]
જાન્યુઆરી 2009માં બ્રિટિશ વિદેશ સચિવ ડેવિડ મિલિબન્ડ સાથે ઉત્તર પ્રદેશમાં તેમના સંસદીયક્ષેત્ર અમેઠી પાસેના ગામની મુલાકાત કરવા બદલ બીજેપી (BJP)એ તેમની ભારે આલોચના કરી. બીજેપી (BJP)ના પ્રવક્તા સુધીન્દ્ર કુલકર્ણીએ તેમની આ મુલાકાતને ‘ગરીબ પ્રવાસ’ ગણાવ્યો. આતંકવાદ અને પાકિસ્તાન પર મિલિબન્ડની વણમાગી સલાહ અને પ્રણવ મુખર્જી તેમજ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે બંધબારણે બેઠક કરતા તેમને પછીથી “મોટા રાજકીય સંકટ" તરીકે ઓળખવામાં આવ્યા.[32]
ગાંધીએ કોંગ્રેસના તમામ સભ્યોને સલાહ આપી કે તેઓ સાદા કપડા પહેરે અને પૈસાનો બગાડ ના કરે. તેમણે કહ્યુ કે તમામ રાજનેતાઓની એ જવાબદારી છે.[33] તેમની પર એવો પણ આરોપ છે કે તેમની પાસે પોતાનું અલગથી બાઇક ચલાવવા માટેનો રસ્તો છે, સાથો સાથ ગો-કાર્ટિગ માટે પણ એક ટ્રેક છે.[34]
રાહુલ ગાંધી પાસે પ્રધાનો માટે ફાળવાયેલો બંગલો છે.(તે માત્ર બે જ સત્રથી સાસંદ છે) તે ઘરમાં સુખ સુવિધાના તમામ સાધનો તેમજ વ્યાયામશાળા પણ છે. તેઓ દિલ્હીના બે સૌથી મોટા વ્યાયામશાળાના સદસ્ય છે જેમાંથી એક ફાઈવ સ્ટાર છે.[35] ચૂંટણી પ્રચાર માટે રાહુલ ગાંધીના ચૈન્નઈ પ્રવાસ પાછળ પક્ષના એક કરોડ રૂપિયા ખર્ચાયા.[36] રાહુલ ગાંધી વાતાનુકુલિત બેઠક વ્યવસ્થાવાળી ટ્રેનમાં લુધિયાણા ગયા અને 445 રૂપિયા બચાવ્યા.[37] રાહુલ ગાંઘીએ દિલ્હી સુધીની વાપસીની યાત્રા સ્વર્ણ સતાબ્દી એક્સપ્રેસમાં કરી, જેના પર અગમ્ય કારણોસર પથ્થરમારો થયો હતો.[38]
યુનાઇટેડ સ્ટેટ્સના રાજદ્વારી કેબલ્સ લીક દરમિયાન ડિસેમ્બર 2010 માં, વિકિલીક્સે 3 ઓગસ્ટ, 2009 ના રોજ કેબલની લીક કરી હતી, જ્યાં ભારતના વડા પ્રધાન મનમોહન સિંઘ 20 મી જુલાઇ 2009 ના રોજ રાહુલ ગાંધી, ત્યારબાદ એઆઈસીસીના જનરલ સેક્રેટરી માટે લંચનું આયોજન કર્યું હતું. લંચ માટે આમંત્રણ અપાયું હતું તેવા મહેમાનોમાંના એક ભારતના રાજદૂત, ટીમોથી જે. રોમર હતા.
રોમેર સાથે "નિખાલસ વાતચીત" માં, તેમણે કહ્યું હતું કે તેઓ માને છે કે હિન્દુ ઉગ્રવાદીઓ મુસ્લિમ બળવાખોરો કરતા તેમના દેશ માટે વધુ ભય ઊભો કરે છે. રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં વધુ ધ્રુવીકરણના આંકડાઓનો ઉલ્લેખ કરે છે. ઇસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કરે-એ-તૈયબા (એલઇટી) દ્વારા પ્રદેશમાં પ્રવૃતિઓ અંગેની રાજદૂતની પૂછપરછનો જવાબ આપતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતની મૂળ મુસ્લિમ વસતીમાં અમુક ઘટકો વચ્ચે જૂથ માટે અમુક સમર્થનનો પુરાવો છે. આની પ્રતિક્રિયામાં, ભાજપે પોતાના નિવેદનો માટે રાહુલ ગાંધીની ભારે ટીકા કરી હતી. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીની આલોચના કરી હતી અને જણાવ્યું હતું કે તેમની ભાષા ભારત માટે એક મોટો ખતરો છે, જે દેશના લોકો પર કોમી આધાર પર વિભાજન કરે છે. પત્રકારો સાથે વાત કરતા પ્રસાદે જણાવ્યું હતું કે, "એક સ્ટ્રોકમાં શ્રી રાહુલ ગાંધીએ પાકિસ્તાનમાં તમામ આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો અને પાકિસ્તાની સંસ્થાના કેટલાક સેગમેન્ટોને પ્રચારનો મોટો લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે. આતંકવાદ સામે પણ અમારી વ્યૂહાત્મક સુરક્ષા છે. "આતંકવાદને ઉમેરવામાં કોઈ ધર્મ નથી, તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ ભારતને સમજણ અભાવ દર્શાવ્યો હતો. ગાંધી આરએસએસ જેવા જૂથોના પણ ટીકા કરી રહ્યા છે અને તેમની સાથે સિમી જેવા આતંકવાદી સંગઠનોની સરખામણી કરી છે.
૨૦૧૩માં મુઝફ્ફરનગર રમખાણો પછી, ઈન્દોર, મધ્ય પ્રદેશમાં ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ એવો દાવો કર્યો હતો કે એક પોલીસ અધિકારીએ તેમને કહ્યું છે કે પાકિસ્તાનના આઇએસઆઇ અસંતુષ્ટ તોફાનગ્રસ્ત યુવાનોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, જિલ્લા વહીવટ, યુપી રાજ્ય સરકાર, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (આરએડબ્લ્યુ) અને ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) એ આવા કોઈ વિકાસનો ઇન્કાર કર્યો હતો. આ ટિપ્પણીએ ભાજપ, એસપી, સીપીઆઇ અને જેડી (યુ) જેવા વિવિધ રાજકીય સંગઠનોની ભારે ટીકા કરી હતી. કૉંગ્રેસના જયરામ રમેશે જણાવ્યું હતું કે ગાંધીને આ ટિપ્પણી માટે મુસ્લિમ સમુદાયની માફી માંગવી જોઇએ. ચૂંટણી પંચના શો-કારક નોટિસના જવાબમાં, આ આચારસંહિતાના આદર્શ ભંગ બદલ તેમના વિરુદ્ધ પગલાં શા માટે નહવો જોઇએ, ગાંધીએ કહ્યું કે તેઓ સાંપ્રદાયિક લાગણીઓનો બગાડવાનો ઈરાદો ધરાવતા નથી પરંતુ વિભાજનવાદી રાજકારણનો ઉલ્લેખ કરે છે. ભાજપે સરકારને કહેવા માટે પણ કહ્યું હતું કે શા માટે ગાંધી, જેઓ સરકારમાં કોઈ પદ નથી ધરાવે, તેમને ગુપ્ત સુરક્ષાના અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ સલામતીના મુદ્દાઓ પર માહિતી આપવામાં આવી છે. 13 મી નવેમ્બર, 2013 ના રોજ, ભારતીય ચૂંટણી પંચે ગાંધીજીના સમજૂતીને અપૂરતી ગણાવ્યું હતું અને તે તેના નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પ્રચાર દરમિયાન તેમની જાહેર ઉચ્ચારણોમાં તેમને વધુ સાવધ રહેવાની સલાહ આપી હતી.
રાહુલ ગાંધી માને છે કે લોકપાલને એક બંધારણીય સંસ્થા બનાવવી જોઈએ અને ભારતની ચૂંટણી પંચની જેમ જ તેને સંસદને જવાબદાર ગણવી જોઈએ. તેમને એમ પણ લાગે છે કે ફક્ત લોકપાલ જ ભ્રષ્ટાચાર ને નાબૂદ કરી શકતા નથી. આ નિવેદન 25 ઓગસ્ટ, 2011 ના રોજ અણ્ણા હજારેના ઉપવાસના દસમા દિવસે બહાર આવ્યું હતું. આ નિવેદન વિરોધ અને ટીમ અન્નાના સભ્યો દ્વારા વિલંબિત યુક્તિ તરીકે માનવામાં આવતું હતું. પરિણામે અગ્રણી વિપક્ષી નેતાઓ સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી દ્વારા સ્લેમિંગ કર્યું હતું. અભિષેક મનુ સિંઘવીની આગેવાની હેઠળની સંસદીય સ્થાયી સમિતિએ 9 ડીસેમ્બર, 2011 ના રોજ રાજ્ય સભા માં જન લોકપાલ બિલની રજૂઆત કરી હતી. આ અહેવાલમાં લોકપાલને બંધારણીય બંધારણીય બોડીમાં બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. પ્રતિક્રિયામાં, હઝારેએ રાહુલ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે તેમણે બિલને "નબળા અને બિનઅસરકારક" બનાવી દીધા હતા.
અલ્હાબાદમાં એક રેલી દરમિયાન, ગાંધીએ કહ્યું હતું કે "ગરીબી માત્ર મનની સ્થિતિ છે, તેનો અર્થ એ નથી કે ખોરાક, પૈસા કે માલસામાનની અછત છે. જો કોઈ વ્યક્તિ આત્મવિશ્વાસ ધરાવે છે, તો તે ગરીબીને દૂર કરી શકે છે". "મનની સ્થિતિ" એ ભાજપના ઉત્તર પ્રદેશના પ્રવક્તા વિજય બહાદુર પાઠક સાથે તીવ્ર ટીકા કરી હતી અને તેમને ગરીબોનો મજાક ઉઠાવવાનો આક્ષેપ કર્યો હતો. વનઇન્ડિયા ન્યૂઝે લખ્યું હતું કે તેમણે "અર્થશાસ્ત્રને અપ્રસ્તુત બનાવ્યું".
રાહુલ ગાંધી, "દોષિત કાયદા ઘડનાર વટહુકમ" પર ભાર મૂક્યો હતો કે વટહુકમ "સંપૂર્ણ નોનસેન્સ" છે અને "અમારી સરકારે જે કર્યું છે તે ખોટું છે." આ 28 મી સપ્ટેમ્બર, 2013 ના રોજ પ્રેસ મેગેઝિનમાં વ્યક્ત કરવામાં આવ્યું હતું, જ્યારે રાહુલ ગાંધીએ વિષય પર અજય માકન દ્વારા આયોજિત પત્રકાર પરિષદની આશ્ચર્યજનક મુલાકાત લીધી. આ વટહુકમ, અગાઉ, સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિને નકારી કાઢવા માટે મંજૂરી આપવામાં આવી હતી.
ગાંધીએ મહિલાઓના સશક્તિકરણ માટે દબાણ કર્યું છે તેમણે વિમેન્સ રિઝર્વેશન બિલનું સમર્થન કર્યું હતું, જે તમામ લોકસભા અને મહિલાઓની વિધાનસભા બેઠકો માટે 33% અનામતની પરવાનગી આપશે. આ વિધેયક 9 મી માર્ચ, 2010 ના રોજ રાજ્ય સભા પસાર કર્યો, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી 2014 સુધી લોકસભા દ્વારા મતદાન થયું નથી.
ગાંધીએ ભારતીય દંડ સંહિતાના કલમ 377 અને સમલૈંગિકતાના અપરાધિકરણને રદ કરવાને ટેકો આપ્યો છે. ગાંધીએ મહિલાઓના સશક્તિકરણ માટે દબાણ કર્યું છે તેમણે વિમેન્સ રિઝર્વેશન બિલનું સમર્થન કર્યું હતું, જે તમામ લોકસભા અને મહિલાઓની વિધાનસભા બેઠકો માટે 33% અનામતની પરવાનગી આપશે. આ વિધેયક 9 મી માર્ચ, 2010 ના રોજ રાજ્ય સભા પસાર કર્યો, પરંતુ હજુ સુધી ફેબ્રુઆરી 2014 સુધી લોકસભા દ્વારા મતદાન થયું નથી.
તાજેતરના સ્વતંત્ર અહેવાલમાંથી ગણાયેલા આંકડા મુબજ તેમની અને તેમના નજીકના પરિવારની કુલ સંપત્તિ $9.41 બિલિયન થી $18.66 બિલિયન થઈ છે. [39]
હાર્વર્ડ વિદ્વાન યેવગેનિયા અલબાટ્સે કેબીજી (KGB) પ્રતિનિધિ દ્વારા વિકટોર ચેબ્રિકોવ મારફતે ગોઠવાયેલા રકમની રાજીવ ગાંધી અને તેમના પરિવારને ચૂકવણી કર્યાની નિંદા કરી.[40][41][42] જેણે દર્શાવ્યું કે કેબીજી (KGB)ના અધ્યક્ષ વિક્ટોર ચેબ્રિકોવે લેખિતમાં જણાવ્યું કે, સીપીએસયુ (CPSU) દ્વારા ડિસેમ્બર 1985માં “પ્રમાણભૂત રીતે રાજીવ ગાંધીના પરિવારમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંઘી અને પાઓલા મૈનો સોનિયા ગાંધીની માતાને અમેરિકી ડોલરમાં ચૂકવણી કરવામાં આવી હતી”. ચૂકવણીને પ્રમાણ આપતો એક ઠરાવ હતો સીપીએસયુ/સીસી/નંબર (CPSU/CC/No) 11228/3 તારીખ 20/12/1985; અને જેની સ્વીકૃતિ યુએસએસઆર (USSR)ની મંત્રીઓની પરિષદના નિર્દેશન નંબર 2633/આરએસ (Rs) તારીખ 20/12/1985. આ વળતર છેક 1971થી થતુ હતુ જે સોનિયા ગાંધીના પરિવાર દ્વારા લેવાતું હતુ. “અને જેનો હિસાબ સીપીએસયુ/સીસી (CPSU/CC) ઠરાવ નંબર 11187/22 ઓપી તારીખ 10/12/1984.[40] 1992માં મીડિયાએ અલબાટ્સના ખુલાસા વિશે રશિયન સરકારને પૂછ્યુ. રશિયન સરકારે તે ખુલાસાની સ્વીકૃતિ કરી અને સાથે એમ કહીને પણ બચાવ કર્યો કે “સોવિયતની વિચારધારાના હિતમાં” તે જરૂરી હતુ.[41][42]
2004માં રાહુલ ગાંધીના પક્ષે મનમોહન સિંહને વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. મનમોહન સિંહ એવા એકમાત્ર આંતરાષ્ટ્રીય નેતા હતા જેમણે વ્યક્તિગત રીતે જર્મન સરકાર દ્વારા 2008માં લિકટેનસ્ટીન કર મામલે કાળાનાણાંની માહિતીના આંકડા લેવાનો ઈન્કાર કર્યો.[43][44] મુખ્ય વિપક્ષ ભારતીય જનતા પક્ષના દબાણને વશ થઈને મનમોહન સિંહ સરકારે બાદમાં સ્વેચ્છાએ તે માહિતીનો ભાગ લેવા તૈયાર થઈ પરંતુ તેને જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો.
2010માં જાણીતા ભારતીય નાગરિકોના જૂથમાંથી કેપીએસ ગિલ, રામ જેઠમલાની અને સુભાષ કશ્યપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી કે મનમોહન સિંહ સરકાર લિકટેન્સ્ટીન બેંકમાં રહેલા ભારતીયોના કાળા નાણાંની સૂચિ જાહેર કરે. જેના જવાબમાં મનમોહન સિંહ સરકારે લિકટેન્સ્ટીન બેંકમાં ભારતીય ખાતેદારોના નામ જાહેર કરવાનો ઈન્કાર કર્યો. ત્યાર બાદ સુપ્રીમે સરકારના ભારતીયોના વિદેશી બેંકોમાં જમા કરાયેલા ગેરકાયદે નાણાંની માહિતી જાહેર નહીં કરવાના ઈરાદા પર સવાલો ઉઠાવ્યા, અને કહ્યુ કે “આ પાછળ કેટલો મોટો સોદો થયો છે?” [45] 2011માં સુપ્રીમ કોર્ટે સ્વીસ બેન્ક મામલામાં ફરી સરકારને ફટકાર લગાવી. [46]
આ વાદવિવાદે 2006ની સ્વીસ બેન્કિંગ અસોસિએશનના અહેવાલ બાદ વધુ જોર પકડ્યું.
ગુપ્ત રીતે એકત્ર કરાયેલા સંવાદો નવેમ્બર 2010માં પ્રસારિત થયા. રાહુલ ગાંઘીનું નામ વચેટિયાની ભૂમિકા ભજવનાર નીરા રાડિયા અને મણિશંકર ઐયરની વાતચીતમાં સામે આવ્યું. કોંગ્રેસ પક્ષના નેતા ઐયર એવુ કહેતા સંભળાયા કે “…વો દયા ઔર રાહુલ કો કુછ બિઝનેસ ઈન્ટ્રેસ્ટ હૈ તો (જો દયા અને રાહુલને વ્યાપારિક હિત હોય તો) ધેટ ઓલ્વેઝ એન ઈસ્યુ....”(પ્રધાનોને ખાતાઓની ફાળવણીમાં).[47] ત્યાર પછી ઐયર એવું કહેતા સંભળાયા કે બન્ને તરફ વ્યાપારિક હિતો છે પછી મારણે કહ્યુ કે 2006માં ભૂલથી કંઈક અયોગ્ય હતું. ("કુછ સોફ્ટવેર સોફ્ટવેર....કુછ તો. સબ બિઝનેસ ઈન્ટ્રેસ્ટ હૈ કુછ....દોનો કા. જબ યે મંત્રી થા ના તભી એક બાર ગલતી સે ઈસકે મૂહ સે કુછ નિકલ ગયા .")
અનુવાદ: ખબર નથી. કંઈક સોફટવેયરની વાત હતી. કંઈક. બંનેના કોઈક વેપારી હિતો હતા. જ્યારે તે પ્રધાન હતા ત્યારે કંઈક ભૂલથી નિકળી ગયુ હોવાની ઘટના બની હતી.[48][49]
2005માં પ્રેમ ચંદ્ર શર્મા સહિત ચાર વકીલોએ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરી. તેઓએ વિનંતી કરી કે સપ્ટેંબર 21, 2001ના રોજ બોસ્ટન હવાઈમથક પર રાહુલ ગાંધી અને તેમની સ્પેનિશ સ્ત્રીમિત્ર વેરોનિકને[50] એફબીઆઈ (FBI ) દ્વારા પૂછપરછ માટે અટકાવવામાં આવ્યા, તે ઘટના વિશેની માહિતી જાહેર કરવામાં આવે અને સ્પષ્ટતા કરવામાં આવે કે જો મિ. ગાંધી $2,00,000 રોકડા લઈને જતા હતા, ત્યારે હવાઈમથકના અધિકારીઓને શા માટે તેઓ સમજાવી ના શક્યા.[51][52]
વકીલોએ વધુ પુરાવા આપ્યા કે મિ. ગાંધીના છુટકારાનું આયોજન વડાપ્રધાનના મુખ્ય સચિવ બ્રિજેશ મિશ્રા દ્વારા કરાયું. અરજીમાં જણાવાયું કે ભારતીય રાજદૂત મારફતે અમેરિકા અને કેન્દ્રીય ગૃહસચિવને ઉપરથી આદેશ અપાયો કે આ મામલે ખુલાસો કરે.[51] જોકે આ પહેલા ધ હિન્દુ સમાચારપત્ર મુજબ “વરિષ્ઠ” ભારતીય રાજનૈયિકના મતે અમેરિકામાં બનેલી આ ઘટનામાં કોઈ ભારતીય રાજદૂત સામેલ નથી.[52]
2006નાં અંતમાં ન્યૂઝવીકે એવો આરોપ મૂક્યો કે તેમને હાર્વર્ડ અને કેમ્બ્રિજનું શિક્ષણ નહી પૂરુ કરવા અથવા મોનિટર જૂથમાં તેમની નોકરી ચાલુ રાખવા બદલ એક કાયદાકીય નોટીસ જાહેર કરવામાં આવી હતી, જેના પગલે છાપાઓએ ઝડપથી તેમને વાતને નકારી અથવા તેમના પહેલાના નિવેદનને યોગ્ય ઠેરવ્યું હતું.[53]
સેન્ટ સ્ટીફન કૉલેજમાં તેમનો પ્રવેશ વિવાદીત રહ્યો, કારણ કે સ્પર્ધાત્મક પિસ્તોલ શૂટર તરીકેની તેમની આવડતને આધારે થયેલા તેમના પ્રવેશ અંગે મતભેદો પ્રવર્તે છે.[7] એક વર્ષના અભ્યાસ બાદ જ, 1990માં તેમણે કૉલેજ છોડી દીધી હતી.[54]
સેન્ટ સ્ટીફન્સના એક વર્ષના નિવાસ દરમિયાન તેમનું નિવેદન, વર્ગમાં જે વિદ્યાર્થીઓ સવાલ પુછતા હતા, 'તેમને ઉતારી પાડવામાં આવતા હતા'ને કોલેજે સખત રીતે વખોડી કાઢ્યા. તેમણે કહ્યું હતું કે, જ્યારે તેઓ સેન્ટ સ્ટીફન્સ કૉલેજમાં ભણતા હતા ત્યારે અમારા વર્ગખંડમાં સવાલ પુછવા સારા (માનવામાં) આવતા ન હતા. જો તમે વધુ સવાલો પુછો તો તમને ઉતારી પાડવામાં આવતા હતા. કૉલેજના શિક્ષકોઓના મતે ગાંધીનું નિવેદન, તેના વ્યક્તિગત અનુભવોને આધારે શ્રેષ્ઠ હતું, પરંતુ તે સ્ટીફનના અભ્યાસુ પર્યાવરણના સામાન્યીકરણના સ્તરે ન હતું.[55]
2007માં ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કહ્યું કે, "જો કોઈ ગાંધી-નહેરુ પરિવારમાંથી રાજકીય રીતે સક્રિય હોત તો બાબરી મસ્જિદ પડી ન હોત". તેમના આ નિવેદનને તે સમયના વડાપ્રધાન પી. વી. નરસિંહમા રાવ પરના હુમલા તરીકે ગણાવવામાં આવ્યો, જેઓ 1992માં બાબરી ધ્વંસ દરમિયાન કોંગ્રેસ સરકારનું નેતૃત્વ કરી રહ્યા હતા.
ગાંધીના આ નિવેદને ભાજપ, સમાજવાદી પક્ષ અને ડાબેરીઓને વિવાદ માટેનો મુદ્દો આપી દીધો, જેમણે વિવિધ રીતે તેમને "હિંદુ-વિરોધી" અને "મુસ્લિમ-વિરોધી" ગણાવ્યા.[56]
ભારતની સ્વાતંત્ર્ય ચળવળ અને નહેરુ-ગાંધી પરિવાર અંગેના તેમના નિવેદનની બીજેપી (BJP) નેતા વૈંકયા નાયડુ દ્વારા ખૂબ ટીકા કરવામાં આવી હતી, તેમણે કહ્યું, કે "શું ગાંધી પરિવાર કટોકટી લાગુ કરવાની જવાબદારી સ્વીકારવા તૈયાર છે?"[57]
અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન રાહુલ ગાંધીને આરએસએસ (RSS ) અને સિમિ (SIMI) ટિપ્પણી સંદર્ભે ડાબેરીઓ દ્વારા સૌથી વધુ ટીકાનો સામનો કરવો પડ્યો છે, એક જૂથ એવું છે, જે આ મુદ્દે તેમની વાહવાહી કરે છે, તો બીજું આલોચના, તેમજ મૂળભૂત જૂથો દ્વારા વિવિધ પ્રંસંગોએ તેમની આકરી ટીકા પણ કરવામાં આવી.[58][59]
6 ઓક્ટોબર 2010ના રોજ જ્યારે તેઓ મધ્યપ્રદેશના પ્રવાસે હતા, તેમના કહ્યા પ્રમાણે આરએસએસ (RSS) અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમિ (SIMI)) એ બંને સરખા છે, અને બંને મૂળભૂત રીતે સરખા વિચારો ધરાવે છે.[60] રાહુલના આ નિવેદન માટેનો આધાર માધ્યમોના અહેવાલો હતા અને કેટલીક ગુપ્તચર સંસ્થાઓએ પણ મક્કા મસ્જિદ અને અજમેર દરગાહના વિસ્ફોટોમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનો હાથ હોવાનું શોધી કાઢ્યું હતું.[61][62]
બીજેપી (BJP)એ રાહુલની સાથે આ સંસ્થાઓની પણ ખૂબ ટીકા કરી, અને દાવો કર્યો કે તેઓ હિન્દુ શત્રુતાથી પ્રેરિત હતા અને ભારતમાં મુસ્લિમ નેતાઓનો મત મેળવવાની ઈચ્છા ધરાવતા હતા. તેમના સમર્થકો અને શુભચિંતકો રાહુલ ગાંધી દ્વારા કરાયેલા તે નિવેદનનો બચાવ કરે છે, અને તાજેતરમાં માલેગાંવ અને અજમેરમાં થયેલા હુમલાઓમાં આરએસએસ (RSS) સાથે સંકળાયેલા જૂથોની સંડોવણીનો મુદ્દો આગળ કરે છે.[63]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.