લોહી
From Wikipedia, the free encyclopedia
લોહી શરીરના કોશિકાઓને પોષક (પદાર્થ)અને પ્રાણવાયુ જેવા જરૂરી તત્વો પુરૂ પાડતું તથા તે જ કોશિકાઓમાંથી બગાડનો નિકાલ કરતું શારીરિક પ્રવાહી છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
કરોડઅસ્થિધારીઓ માં તે બ્લડ પ્લાઝમા(રક્ત પ્રાણરસ)નામના પ્રવાહીમાં વચ્ચે તરતા રક્તકણોનું બનેલું હોય છે. પ્લાઝમામાં 55% લોહી પ્રવાહી હોય છે અને તે મહદ અંશે (90% જેટલા પ્રમાણમાં) પાણી હોય છે.[1] તે પ્રવાહી નત્રલો, ગ્લુકોઝ, ખનીજ આયન, અંતઃસ્ત્રાવ, કાર્બન ડાયોક્સાઇડ (પ્લાઝમા પોતે જ બગાડનો નિકાલ કરનાર વાહક હોવાથી), પ્લેટલેટ્સઅને રક્તકણો ધરાવે છે. લોહીમાં હાજર રહેલા રક્ત કોશિકાઓમાં મુખ્યત્વે લાલ રક્તકણ (જેને આરબીસી (RBC) અથવા એરિથ્રોસાઇટ્સ પણ કહેવાય છે), શ્વેત કણ, લ્યુકોસાઈટ્સ અને પ્લેટલેટ્સનો સમાવેશ થાય છે. કરોડઅસ્થિધારી પ્રાણીના લોહીમાં લાલ રક્તકણ હોય છે. આ રક્તકણ હિમોગ્લોબિન, લોહ તત્વ ધરાવતા પ્રોટીન ધરાવે છે. તે શ્વસન વાયુ સાથે જોડાઇને રક્તમાં ઓક્સિજનની દ્રાવ્યતામાં વધારો કરે છે અને શરીરમાં ઓક્સિજનના પરિવહનમાં મદદ કરે છે. આનાથી વિપરિત, કાર્બન ડાયોક્સાઇડનું વહન પ્લાઝમા દ્વારા થાય છે. કાર્બન ડાયોક્સાઇડ પ્લાઝમામાં ભળે છે અને બાયકાર્બોનેટ આયન તરીકે તેનું વહન થાય છે.
કરોડઅસ્થિધારી પ્રાણીના હિમોગ્લોબિનમાં ઓક્સિજન ભળે છે ત્યારે તેનું લોહી ચળકતું લાલ રંગનું થાય છે. કેટલાક પ્રાણીઓ જેવા કે શરીર પર કવચ કે ભીંગડા ધરાવતા પ્રાણીઓ અને કવચવાળા મૃદુકાય પ્રાણીઓ પ્રાણવાયુના વહન માટે હિમોગ્લોબિનની જગ્યાએ હિમોકેનિનનો ઉપયોગ કરે છે. કરોડઅસ્થિ વિનાના (કીડી જેવા જંતુઓ) અને કેટલાક કવચવાળા મૃદુકાય પ્રાણીઓ લોહીના સ્થાને હિમોલિમ્ફ તરીકે ઓળખાતા પ્રવાહીનો ઉપયોગ કરે છે, હિમોલિમ્ફનો તફાવત એ છે કે તે બંધ રુધિરાભિસરણ તંત્રમાં સમવિષ્ટ હોતા નથી. મોટા ભાગના જંતુઓમાં "રક્ત" પ્રાણવાયુનું વહન કરતા હિમોગ્લોબિન જેવા કણો ધરાવતું નથી કારણ કે, પ્રાણવાયુના વહન માટેના શ્વસન તંત્ર માટે તેમના શરીર અત્યંત નાના હોય છે.
જડબાવાળા કરોડઅસ્થિધારી પ્રાણીઓના અનુકૂલનશીલ રોગપ્રતિકારક તંત્રનો આધાર મોટાભાગે શ્વેતકણો પર હોય છે. ચેપ અને પરોપજીવીઓના પ્રતિકારમાં શ્વેત રક્તકણો મદદ કરે છે. લોહીના ગંઠાઈ જવા માટે પ્લેટલેટ મહત્વના છે.[2] આર્થ્રોપોડ હેમોલિમ્ફનો ઉપયોગ કરીને તેની રોગપ્રતિકારક વ્યવસ્થાના ભાગરૂપે હિમોસાઇટ્સ ધરાવતા હોય છે.
હ્રદયની ધબકવાની પ્રક્રિયા દ્વારા રક્ત વાહિનીઓ મારફતે સમગ્ર શરીરમાં રક્તનું વહન થાય છે. ફેફ્સા ધરાવતા પ્રાણીઓમાં ધમનીમાં વહેતું રક્ત શ્વાસ દ્વારા લેવાતા પ્રાણવાયુને શરીરના કોશિકાઓ સુધી પહોંચાડે છે અને નસોમાં વહેતું રક્ત ચયાપચયની પ્રક્રિયામાં કોશિકાઓ દ્વારા બનતા નકામા ઉત્પાદન અંગારવાયુને કોશિકાઓમાંથી ફેફ્સામાં અને ત્યાંથી ઉચ્છવાસ સુધી લઈ જાય છે.
રક્ત સાથે સંકળાયેલી તબીબી પરિભાષા ઘણીવાર પ્રાચીન ગ્રીક ભાષામાં લોહી માટે વપરાતા શબ્દ હેઇમા પરથી ઉતરી આવેલા શબ્દો હિમો- અથવા હિમેટો- (તેને આ રીતે પણ બોલાય છે- હેઈમો - અને હેઈમેટો- )- પરથી ઉતરી આવ્યા છે. શરીરરચના શાસ્ત્ર અને સૂક્ષ્મપિંડરચનાશાસ્ત્રના સંદર્ભમાં રક્તને જોડાણકર્તા કોશિકાઓના વિશેષ સ્વરૂપ તરીકે ગણવામાં આવ્યું છે અને તેનું ઉદભવસ્થાન હાડકાં છે અને તે ફાઈબ્રિનોજન નામના સંભવિત પરમાણ્વીય રેસાઓની ઉપસ્થિતિમાં બને છે.