વિજયા મહેતા
ભારતીય મરાઠી ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક અને અભિનેત્રી / From Wikipedia, the free encyclopedia
વિજય મહેતા (જન્મ ૪ નવેમ્બર ૧૯૩૪),[1] જાણીતા ભારતીય મરાઠી ફિલ્મ અને થિયેટર દિગ્દર્શક છે અને સમાંતર સિનેમાની ઘણી ફિલ્મોના અભિનેત્રી પણ છે. તેઓ નાટ્યકાર વિજય તેંડુલકર, અભિનેતા અરવિંદ દેશપાંડે અને શ્રીરામ લાગૂ સહિત મુંબઈ સ્થિત થિયેટર ગ્રુપ રંગાયનના સ્થાપક સભ્ય છે. તેઓ ફિલ્મ પાર્ટી (૧૯૮૪) માં તેમની પ્રશંસનીય ભૂમિકા અને તેમના દિગ્દર્શક સાહસો, રાવ સાહેબ (૧૯૮૬) અને પેસ્તનજી (૧૯૮૮) માટે સૌથી વધુ જાણીતા છે. રંગાયનના સ્થાપક સભ્ય તરીકે તેઓ ૧૯૬૦ના દાયકાના પ્રાયોગિક મરાઠી રંગભૂમિમાં અગ્રગણ્ય વ્યક્તિ બન્યાં હતાં.[2] ૧૯૮૭માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Quick Facts વિજયા મહેતા, જન્મની વિગત ...
બંધ કરો