શચીન્દ્રનાથ બક્ષી
ભારતીય ક્રાંતિકારી / From Wikipedia, the free encyclopedia
શચીન્દ્રનાથ બક્ષી (૨૫ ડિસેમ્બર ૧૯૦૪ – ૨૩ નવેમ્બર ૧૯૮૪) એક અગ્રણી ભારતીય ક્રાંતિકારી અને હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન (એચઆરએ)ના સ્થાપક સભ્યોમાંના એક હતા, જેની રચના ભારતમાં બ્રિટિશ સામ્રાજ્ય વિરુદ્ધ ક્રાન્તિકારી પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે કરવામાં આવી હતી.[1]
Quick Facts શચીન્દ્ર બક્ષી, જન્મની વિગત ...
શચીન્દ્ર બક્ષી | |
---|---|
જન્મની વિગત | શચીન્દ્રનાથ બક્ષી (1904-12-25)25 December 1904 બનારસ, બનારસ રાજ્ય, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 23 November 1984(1984-11-23) (ઉંમર 79) સુલતાનપુર, ઉત્તર પ્રદેશ, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
વ્યવસાય | સ્વાતંત્ર્ય સેનાની |
સંસ્થા | હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિયેશન |
ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
બંધ કરો
તેઓ કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લેનારા ક્રાંતિકારીઓમાંના એક હતા. લૂંટના બે મહિના બાદ તેમને અને તેમના મિત્રોને લખનઉ સેન્ટ્રલ જેલમાં બેરેક નંબર ૧૧માં મોકલવામાં આવ્યા હતા[2] અને લૂંટમાં ભાગ લેવા બદલ તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.