શીખ
From Wikipedia, the free encyclopedia
શીખ ધર્મને અનુસરે તેને શીખ (પંજાબી: ਸਿੱਖ) કહેવાય છે. શીખ ધર્મનો (પંજાબીમાં શીખી) ઉદભવ 15મી સદીમાં દક્ષિણ એશિયાના પંજાબ પ્રદેશમાં થયો હતો. હાલમાં આ ધર્મ વિશ્વભરમાં અનુયાયીઓ ધરાવતા મહત્વના ધર્મ પૈકીનો એક છે. 'શીખ' શબ્દ સંસ્કૃતનાં શબ્દ પરથી ઉતારી આવ્યો છે, જેમાં તેનો અર્થ 'અનુયાયી, શીખનાર' અથવા આદેશ એવો થાય છે.[23][24]
નિશાન સાહેબ, શીખોની ધજા | |
કુલ વસ્તી | |
---|---|
૨,૫૦,૦૦,૦૦૦ (૨.૫ કરોડ)[1] | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
India 19,215,730[2]
| |
United Kingdom | 750,000[3] |
Canada | 278,000[4] |
United States | 200,000[5] |
Malaysia | 100,000[6] |
Italy | 70,000[7] |
Thailand | 70,000[8] |
Australia | 22,000[9] |
Pakistan | 20,000[10] |
Kuwait | 20,000[11] |
Netherlands | 12,000[12] |
Indonesia | 15,000ઢાંચો:Lower&high |
France | 10,000[13] |
Singapore | 9,733[14] |
New Zealand | 9,507[15] |
Germany | 8,000[16] |
Nepal | 5,890[17] |
5,000[18] | |
Fiji | 4,674[19] |
Afghanistan | 3,000[20] |
Austria | 2,794[21] |
Ireland | 1,200[22] |
ભાષાઓ | |
શીખ વિખિરણમાં અંગ્રેજી, હિંદી, ઉર્દુ, સ્વાહિલી, મલય, થાઇ, ફારસી, પષ્તો અને અન્ય. | |
ધર્મ | |
શીખ ધર્મ | |
† ૨૦૦૪ સુધીનાં અંદાજીત આંકડા. ‡ઈંડોનેશિયાનો કાયદો શીખ ધર્મને અલગ માન્યતા નથી આપતો, માટે શીખ લોકો તેમના ઓળખપત્રો, પાસપોર્ટ તથા જન્મ અને લગ્નનાં દાખલાઓમાં પોતાને શીખ તરીકે ન ઓળખાવી શકતાં, હિંદુ તરિકે ઓળખાવે છે. |
"રેહત મર્યાદા"નાં (શીખ ધર્મની આચાર સંહિતા) લેખ-૧માં જણાવવામાં આવ્યા અનુસાર, "એકમાત્ર અમર શક્તિ, ગુરૂ નાનક દેવથી લઈને શ્રી ગુરુ ગોવિંદસિંહ સુધીના દસ ગુરૂ, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ, દસ ગુરૂની વાતો અને શિખામણ અને દસમાં ગુરૂએ વારસામાં આપેલી ધર્મ સંસ્કારની વિધિમાં શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ ધરાવનાર અને અન્ય કોઈ પણ ધર્મમાં નિષ્ઠા નહિ ધરાવનારા કોઈ પણ વ્યક્તિને શીખ તરીકે અર્થબદ્ધ કરવામાં આવી છે.[25] કાપ્યાં વિનાના વાળ (પુરૂષોની દાઢી સહિત) અને પાઘડી એ તમામ શીખોનું સર્વસામાન્ય ઓળખચિહ્ન છે.
બૃહદ પંજાબ પ્રાંત શીખ ધર્મની ઐતિહાસિક માતૃભૂમિ છે. વિશ્વભરમાં શીખ લોકોની બહુ મોટી સંખ્યા હોવા છતાં, મોટાભાગના શીખ પંજાબી છે અને પંજાબ પ્રદેશ સાથે સંબંધ ધરાવે છે. શીખ ધર્મની એક ધર્મ તરીકેની રચનામાં પંજાબીઓ અને પંજાબ પ્રદેશનો ઇતિહાસ અનેરૂં મહત્વ ધરાવે છે. શીખ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ અને વારંવાર વિસરાઈ જતો ખ્યાલ એ છે કે આ ધર્મ કોઈ જાતિ, જૂથમાં માનતો નથી તેમજ તમામ માનવ વંશ, જે તેમના ગુરુ (શિક્ષકો) તેમની પાછળ છોડી ગયા છે, તેમની વચ્ચે કોઈ ભેદ રાખતો નથી અને તમામને સમાન દ્રષ્ટિએ જુએ છે. પંજાબી અસરને કારણે જ શીખ ઘણીવાર ભારત બહાર વંશીયધાર્મિક તરીકે ઓળખાય છે.