From Wikipedia, the free encyclopedia
હિડેકી યુકાવા (૨૩ જાન્યુઆરી ૧૯૦૭ – ૮ સપ્ટેમ્બર ૧૯૮૧) જાપાનિઝ સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. પ્રબળ નાભિકિય બળનું નિયમન કરતાં કણ પાય-મેસોનની સૈદ્ધાંતિક આગાહી કરવા માટે તેમને ૧૯૪૯ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક એનાયત થયું હતું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ જાપાનિઝ વ્યક્તિ હતા.[1]
હિડેકી યુકાવા | |
---|---|
યુકાવા 1951માં | |
જન્મની વિગત | ટોક્યો, જાપાન | 23 January 1907
મૃત્યુ | 8 September 1981 74) | (ઉંમર
રાષ્ટ્રીયતા | જાપાનિઝ |
જીવનસાથી | સુમી યુકાવા |
સંતાનો | ૨ |
પુરસ્કારો | ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક (1949) |
વૈજ્ઞાનિક કારકિર્દી | |
ક્ષેત્ર | સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર |
હસ્તાક્ષર | |
હિડેકી યુકાવાનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૯૦૭ના રોજ ટોક્યો ખાતે આવેલ ઇચિબે-ચો અઝાબુ શહેરમાં થયો હતો. તેમનું મૂળનામ હિડેકી ઓગાવા હતું, પરંતુ ૧૯૩૨માં સુમી યુકાવા સાથે લગ્ન કર્યા બાદ તેમણે તેમની પત્નીની અટક 'યુકાવા' પોતાના નામ પાછળ સ્વીકારી હતી.[2] તેઓ તેમના ભૂગોળશાસ્ત્રી પિતા તાકુજી ઓગાવાના સાત સંતાનો પૈકિના પાંચમુ સંતાન હતા.[3]
યુકાવાએ પ્રતિપાદિત કર્યું કે નાભિકિય બળો મેસોનના વિનિમય સાથે સંબંધ ધરાવે છે. જે રીતે વિદ્યુતચુંબકીય બળમાં ફોટોન ભાગ ભજવે છે તેવો જ ભાગ મેસોન નાભિકિય બળોમાં ભજવે છે.[1]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.