૫ ગુરખા રાઇફલ્સ
From Wikipedia, the free encyclopedia
૫ ગુરખા રાઇફલ્સ એ ભારતીય ભૂમિસેનાની પાયદળ રેજિમેન્ટ છે. તેમાં ભારતીય અને નેપાલ મૂળના ગુરખા સૈનિકોને ભરતી કરવામાં આવે છે. તે ઈસ ૧૮૫૮માં ઉભી કરવામાં આવી હતી. તેણે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં ફરજ બજાવી છે. તે ઈસ ૧૯૪૭માં આઝાદી સમયે ભારતના ફાળે આવી હતી. ત્યારબાદ તેણે ભારત-પાકિસ્તાનના ૧૯૬૫ અને ૧૯૭૧માં ફરજ બજાવી હતી. તેણે શ્રીલંકા ખાતેની શાંતિસેનામાં નિયુક્તિ મેળવી હતી.