કોળિક્કોટ્
From Wikipedia, the free encyclopedia
કોળિક્કોટ્(ઉચ્ચારણ (મદદ·માહિતી)),કોઝિકોડ કે કાલિકટ તરીકે પણ ઓળખાય છે, તે દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં આવેલું એક શહેર છે. કેરળનું આ ત્રીજા ક્રમનું સૌથી મોટું શહેર છે અને તે કોઝિકોડ જિલ્લાનું મુખ્ય મથક છે. પરંપરાગત પ્રાચીનકાળ અને મધ્ય યુગ દરમિયાન, કાલિકટ પૂર્વના તેજાનઔના વેપારના મુખ્ય મથક તરીકેની પોતાની ભૂમિકાને કારણે "મસાલાનું શહેર" તરીકે ઓળખાતું હતું.[1] તે કોળિક્કોટ્ નામે જ ઓળખાતા સ્વતંત્ર રજવાડાંની રાજધાની હતું અને ભૂતપૂર્વ માલાબાર જિલ્લાનું પાટનગર હતું.
કોળિક્કોટ્ | |||||||
Calicut | |||||||
— city — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 11°15′N 75°46′E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | કેરળ | ||||||
જિલ્લો | કોળિક્કોટ્ | ||||||
Mayor | M. Bhaskaran | ||||||
District collector | P. B. Salim | ||||||
વસ્તી • ગીચતા |
૪,૩૬,૫૫૬ (2001) • 5,280/km2 (13,675/sq mi) | ||||||
લિંગ પ્રમાણ | ૧.૦૬૧ ♂/♀ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | મલયાલમ,અંગ્રેજી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
82.68 square kilometres (31.92 sq mi) • 1 metre (3.3 ft) | ||||||
કોડ
| |||||||
વેબસાઇટ | www.kozhikodecorporation.org/ |
૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે, કોઝિકોડ ૪,૩૬,૫૫૬ની વસ્તી ધરાવે છે, જેમાં આશરે ૯ લાખ લોકોની શહેરી વસતીનો પણ સમાવેશ થાય છે, જે તેને કેરળનું ત્રીજા ક્રમનું સૌથી વિશાળ શહેરી સમૂહ અને ત્રીજા ક્રમનું સૌથી વિશાળ શહેર બનાવે છે. આર્થિક સંશોધન સંસ્થા ઈન્ડિકસ એનાલિટીક્સે રહેઠાણ, આવક અને મૂડીરોકાણ અંગે સંપાદિત કરેલા આંકડા અનુસાર, કોઝિકોડ ભારતના રહેવાલાયક શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. ઈન્ડિકસે છ માનક - આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ, સુરક્ષા, જાહેર સુવિધાઓ અને મનોરંજનને વિચારણા હેઠળ લીધા હતા[2]. 2007માં એસોચેમે હાથ ધરેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યા અનુસાર, નોકરીના સર્જનની દ્વષ્ટિએ ભારતના બીજા તબક્કાનાં શહેરોની યાદીમાં કોઝિકોડનો ક્રમ 11મો છે.[3] 2004માં કોઝિકોડને ભારતનું સૌપ્રથમ ગંદકી-મુક્ત શહેર ઘોષિત કરવામાં આવ્યું હતું.[4] જાન્યુઆરી-2009માં 'ભુખ-મુક્ત કોઝિકોડ' યોજના શરૂ કરવામાં આવી હતી, જેના પગલે કોઝિકોડને ભારતનં સૌપ્રથમ ભુખ-મુક્ત શહેર જાહેર કરવામાં આવ્યું હતું.[5] કેરળ સરકાર દ્વારા સાયબરપાર્કના વિકાસની સાથે કોઝિકોડમાં આઈટી ઉદ્યોગ ખીલે તેવી સંભાવના છે. તિરૂવનંતપુરમનાં ટેક્નોપાર્ક અને કોચીના ઈન્ફોપાર્કની જેમ રાજ્યમાં વિકસાવવામાં આવનારું આ ત્રીજું આઈટી કેન્દ્ર છે અને 2011ના મધ્યગાળામાં આ યોજના શરૂ થાય તેવી ધારણા છે.[6]