મુંબઈ, ભારતમાં આવેલું એક સ્મારક From Wikipedia, the free encyclopedia
ગેટવે ઓફ ઇન્ડિયા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના પાટનગર મુંબઇ શહેરના દક્ષિણ ભાગના દરિયાકિનારે કોલાબા વિસ્તારમાં આવેલું સ્મારક પ્રવેશદ્વાર છે. આ ઇમારત ૨૬ મીટર જેટલી ઉંચાઇ ધરાવે છે. અહીં પર્યટકો માટે નૌકા-વિહાર સેવા ઉપલબ્ધ છે.
ગેટવે ઓફ ઇન્ડિયા | |
---|---|
ગેટવે ઓફ ઇન્ડિયા | |
સામાન્ય માહિતી | |
સ્થાન | મુંબઈ, મહારાષ્ટ્ર |
અક્ષાંશ-રેખાંશ | 18.9219°N 72.8346°E |
બાંધકામની શરૂઆત | ૩૧ માર્ચ ૧૯૧૩ |
પૂર્ણ | ૧૯૨૪ |
ઉદ્ઘાટન | ૪ ડિસેમ્બર ૧૯૨૪ |
ખર્ચ | ₹૨૧ લાખ |
માલિક | ભારતીય પુરાતત્વ વિભાગ |
ઉંચાઇ | 26 m (85 ft) |
પરિમાણો | |
વ્યાસ | 15 metres (49 feet) |
રચના અને બાંધકામ | |
સ્થપતિ | જ્યોર્જ વિટૈટ |
સ્થપતિ કાર્યાલય | ગેમ્મોન ઇન્ડિયા |
સમારકામ કરનાર | |
સ્થપતિ | જ્યોર્જ વિટૈટ |
વેબસાઇટ | |
gatewayofindia.org |
આ પ્રવેશદ્વારનું નિર્માણ ઇંગ્લેન્ડના રાજા જ્યોર્જ પાંચમા અને રાણી મેરીના આગમન ૪ ડિસેમ્બર, ૧૯૧૧ સમયનો સ્મરણોત્સવ ઉજવવા માટે કરવામાં આવ્યું હતું. તેના નિર્માણ માટે પીળા રંગના આરસના પથ્થરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના સ્થપતિ જ્યોર્જ વિટૈટ નામના અંગ્રેજ હતા. આ પ્રવેશદ્વારનું નિર્માણકાર્ય ઇ. સ. ૧૯૨૪ના વર્ષમાં પૂર્ણ થયું હતું.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.