ભજન
From Wikipedia, the free encyclopedia
ભગવાનને અનુલક્ષીને ગવાયેલા કોઇપણ પદ કે પદ્યને ભજન કહેવાય છે. ભારત દેશના લોકોમાં પૌરાણિક જમાનાથી જુદા જુદા દેવ-દેવીઓને અનુલક્ષીને જુદી જુદી ભાષાઓમાં બહોળી સંખ્યામાં ભજનો ગવાય છે. ગુજરાતી લોકો કહે છે કે ભોજનમાં પ્રભુની ભક્તિ ભળે તો ભોજન પ્રસાદ બની જાય અને જો કોઈ ગીતમાં પ્રભુની ભક્તિ ભળે તો ગીત ભજન બની જાય.
નરસિંહ મહેતા, મીરાંબાઈ, દાસી જીવણ, સંત કબીર, ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, નિરાંત મહારાજ અને ગંગાસતી વગેરેનાં ભજનો ગુજરાતનાં લોકોમાં ખુબ જાણીતાં છે.
ભજન શબ્દ 'ભજ' ધાતુ પરથી બન્યો છે. ભજન એ માત્ર ગાવાની વસ્તુ નથી, ગાવાની સાથે ભજન (ભજવાનું) કરવાનું હોય છે.
ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અનેક ભજનો કંઠસ્થ હતાં. એમાં નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો એમને અત્યંત પ્રિય હતું.