બ્રિટિશ ભારતનું ૧૯૪૭માં બે સ્વતંત્રરાજ્ય(ભારત અને પાકિસ્તાન)માં વિભાજન From Wikipedia, the free encyclopedia
ઇ. સ. ૧૯૪૭ માં જ્યારે બ્રિટિશ ભારત ને સ્વતંત્રતા મળી તો સાથે સાથે ભારતના ભાગલા કરીને ૧૪ ઓગસ્ટે પાકિસ્તાની ડોમિનિયન (બાદમાં ઇસ્લામી જમ્હૂરિયા-એ-પાકિસ્તાન) અને ૧૫ ઓગસ્ટે ભારતીય યૂનિયન (બાદમાં ભારત ગણરાજ્ય)ની સ્થાપના કરવામાં આવી. આ ઘટનામાં મુખ્યત્વે બ્રિટિશ ભારતના બંગાળ પ્રાંતને પૂર્વ પાકિસ્તાન અને ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં વહેંચવામાં આવ્યું અને આ જ રીતે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતને પશ્ચિમ પાકિસ્તાન અને ભારતના પંજાબ રાજ્યમાં વહેંચવામાં આવ્યું. આ જ વખતે બ્રિટિશ ભારતમાંથી સીલોન (હવે શ્રીલંકા) અને બર્મા (હવે મ્યાનમાર) ને પણ અલગ કરવામાં આવ્યું. પરંતુ તેમને ભારતના ભાગલામાં ગણવામાં આવતું નથી. નેપાલ અને ભૂતાન આ વખતે પણ સ્વતંત્ર રાજ્ય હતા અને ભાગલાની અસર તેમને કોઈ પડી નહોતી.
૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ ની અડધી રાતે ભારત અને પાકિસ્તાન કાનૂની રસમથી બે સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા. પાકિસ્તાનની સત્તા પરિવર્તનની રસમ ૧૪ ઓગસ્ટે કરાચી શહેરમાં કરવામાં આવી, જેથી છેલ્લા બ્રિટિશ વાઇસરોય લુઇસ માઉંટબૈટન કરાચી અને નવી દિલ્લી બન્ને જગ્યાની વિધીમાં ભાગ લઇ શકે. આથી પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ૧૪ ઓગસ્ટ અને ભારતનો ૧૫ ઓગસ્ટે મનાવવામાં આવે છે.
ભારતના વિભાજનથી કરોડો લોકોના જીવન પર અસર થઇ. વિભાજન દરમિયાન થયેલી હિંસામાં આશરે ૫ લાખ લોકો માર્યા ગયા, અને આશરે ૧.૪૫ કરોડ શરણાર્થીઓએ પોતાના ઘર-બાર છોડીને પોતાના સંપ્રદાયની બહુમતિ વાળા દેશમાં શરણ લીધી; જેમ કે, ઘણા મુસ્લિમો પાકિસ્તાન ગયા જ્યારે ઘણા હિન્દુ અને શીખ લોકો પાકિસ્તાન છોડી ભારત આવ્યા.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.