સહસ્ત્રલિંગ તળાવ
પાટણ, ગુજરાતમાં આવેલું મધ્યયુગીન તળાવ / From Wikipedia, the free encyclopedia
સહસ્ત્રલિંગ તળાવ પાટણ, ગુજરાતમાં આવેલું એક મધ્યયુગીન કૃત્રિમ તળાવ છે. તેનું બાંધકામ સોલંકી વંશના શાસન દરમિયાન કરવામાં આવ્યું હતું. પરંતુ હાલમાં તે ખાલી અને ખંડિત અવસ્થામાં છે. તે હવે ભારતના પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વના સ્મારક (N-GJ-161) તરીકે જાહેર કરાયેલ છે.