ઉનાવા
ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
ઉનાવા ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકામાં આવેલું ગામ છે, જે મુસલમાનોનું પવિત્ર યાત્રાધામ છે જે મીરા દાતાર તરીકે જાણીતુ છે. ઉનાવામાં મુખ્યત્વે ઉનાવા ગામ ઉપરાંત આનંદપુરા, લક્ષ્મીપુરા અને પ્રતાપગઢ જેવા નાનાં-નાનાં પરાંઓનો પણ સમાવેશ થાય છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
ઉનાવા | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 23°48′13″N 72°23′53″E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
તાલુકો | ઉંઝા |
વસ્તી | ૧૨,૯૦૧ (૨૦૧૧[1]) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેતપેદાશો | ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, શાકભાજી |
બંધ કરો
અમદાવાદ-પાલનપુર ધોરીમાર્ગ પર મહેસાણાથી ઊંઝા તરફ ૧૯ કિ.મી. ના અંતરે મુખ્ય રસ્તા પર ઉનાવા આવેલું છે. ઉનાવાની સૌથી નજીકનું વેપારી મથક ઊંઝા છે જે ફક્ત ૫ કિ.મી.ના અંતરે જ આવેલુ છે. ઉનાવામાં ખેત ઉત્પાદન સમિતિ દ્વારા માર્કેટ યાર્ડ બનાવવામાં આવ્યું છે જે હાલમાં અગત્યના તમાકુ બજાર તરીકે ઉભરી આવ્યું છે.