અહમદશાહ
અમદાવાદનો સ્થાપક / From Wikipedia, the free encyclopedia
અહમદશાહ અથવા અહમદ શાહ પહેલો ગુજરાતના મુઝફ્ફર વંશ અથવા મુઝફ્ફરીદ વંશનાં સુલતાન હતાં. તેમણે ઈ.સ. ૧૪૧૧થી તેમના મૃત્યુ સુધી એટલે કે ઈ.સ. ૧૪૪૨ સુધી રાજ કર્યુ. તેઓ અમદાવાદના અહેમદશાહ બાદશાહ તરીકે જાણીતાં છે. તેમણે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ કર્ણાવતી અને આશાવલ નગરોની પાસે સાબરમતી નદીના કિનારે અમદાવાદ શહેરની સ્થાપના કરી અને તેને પાટણથી ગુજરાત સલ્તનતનું પાટનગર બનાવ્યુ. અમદાવાદ શહેરનું નામ અહેમદશાહ બાદશાહનાં નામ પરથી પડ્યું છે.[1]
Quick Facts અહમદ શાહ પહેલો, આખું નામ ...
અહમદ શાહ પહેલો | |
---|---|
ગુજરાતનો સુલ્તાન | |
આખું નામ | નસરુદ્દીન અહમદ શાહ |
મૃત્યુ | ૧૪૪૨ |
અંતિમ સંસ્કાર સ્થળ | અહમદ શાહનો રોજો, અમદાવાદ, ૧૪૪૨ |
રાજવંશ | મુઝફ્ફર વંશ |
પિતા | મહમદ શાહ પહેલો |
ધાર્મિક માન્યતા | ઇસ્લામ |
બંધ કરો