ઈશ્વર
એકેશ્વરવાદી ધર્મોમાં શ્રદ્ધાનો મુખ્ય ઉદ્દેશ; એક દૈવી અસ્તિત્વ જે તમામ અસ્તિત્વની દેખરેખ રાખે છ / From Wikipedia, the free encyclopedia
ઈશ્વર , ઈશ્વરવાદ અને કેવલેશ્વરવાદ ધર્મોમાં અને અન્ય માન્યતા સિસ્ટમ મુજબ એક દેવતા છે, જે ક્યાં તો એકેશ્વરવાદમાં એકમાત્ર દેવતા, અથવા બહુ-ઈશ્વરવાદના મુખ્ય દેવતા તરીકે અભિવ્યકત થાય છે.[1]
ઈશ્વરને મોટેભાગે અલૌકિક સર્જક અને બ્રહ્માંડના દૃષ્ટા તરીકે જોવામાં આવે છે. ધર્મવેત્તાઓએ ઘણી બધી જુદી જુદી ઈશ્વરની વિભાવનાઓ માટે વિભિન્ન લક્ષણોનું વર્ણન કર્યું છે. આમાં સૌથી સામાન્ય વિચારણામાં સર્વજ્ઞ, સર્વશકિતમાન, સર્વવ્યાપી, સંપૂર્ણપણે પરોપકારી (સંપૂર્ણ દેવતા), દૈવી સરળતા તથા શાશ્વત અને આવશ્યક અસ્તિત્વનો સમાવેશ થાય છે. ઈશ્વરને અમૂર્ત, વ્યકિતગત અસ્તિત્વ, તમામ નૈતિક જવાબદારીના સ્ત્રોત અને “ સૌથી મહાન ગ્રહણક્ષમ અસ્તિત્વ ” તરીકે પણ કલ્પવામાં આવે છે.[1] આ બધા ગુણધર્મોને જુદી જુદી માત્રામાં પ્રાચીન યહુદી, ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મવેત્તા તત્ત્વચિંતકોએ તેમજ અનુક્રમે મેમોનિદેશ[2], હિપ્પોના ઓગસ્ટાઈન,[2] અને અલ-ગઝલીએ સમર્થન કર્યું છે.[3] ઘણા નોંધપાત્ર મધ્યકાલિન તત્ત્વચિંતકો અને આધુનિક તત્ત્વચિંતકોએ ઈશ્વરના અસ્તિત્વ અંગે વિચારણાઓ વિકસાવી હતી.[3] જ્યારે તેથી વિરુદ્ધમાં ઘણા નામાંકિત તત્ત્વચિંતકો અને બુધ્ધિમંતોએ ઈશ્વરના અસ્તિત્વની વિરોધ માં વિચારણાઓ વિકસાવી છે.