ઉપનિષદ
From Wikipedia, the free encyclopedia
ઉપનિષદ વેદનો અંતિમ અને નિષ્કર્ષરૂપ ભાગ છે, તેથી વેદાંત ગણાય છે. ઉપનિષદો મુલત: આધ્યાતમવિદ્યાના ગ્રંથો છે. ઉપનિષદોમાંથી ભારતીય દર્શનની અનેક શાખાઓ જન્મી છે, વધી છે અને વિકસી છે. ગીતા ઉપનિષદોનો પણ સારરૂપ ગ્રંથ ગણાય છે. ઉપનિષદો, બ્રહ્મસુત્ર અને શ્રીમદ્ ભગવદ્ ગીતા – આ ત્રણ મળીને વેદાંતની પ્રસ્થાનત્રયી બને છે. ઉપનિષદોની સંખ્યા લગભગ ૩૦૦ની છે. પ્રધાન ૧૩ ઉપનિષદો ગણાય છે.[1][note 1] જે આ પ્રમાણે છે:
- ઈશ
- કેન
- કઠ
- માંડૂક્ય
- મૂંડક
- પ્રશ્ન
- ઐતરેય
- તૈત્તિરીય
- છાંદોગ્ય
- બૃહદારણ્યક
- શ્વેતાશ્વર
- કોષીતિકી
- નૃસિંહતાપની
આમાંના પ્રથમ અગિયાર પર ભગવાન શંકરાચાર્યના ભાષ્યગ્રંથો રચાયા છે.