કર્મ
From Wikipedia, the free encyclopedia
કર્મ (સંસ્કૃત: कर्म, IPA: [ˈkɐɽmɐ] (listen)) નો અર્થ ક્રિયા અથવા કાર્ય થાય છે. તે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા હેતુ અને અસરોની તેના ભવિષ્ય પર પડતી અસરને આધ્યાત્મિક રીતે રજૂ કરે છે.[1] સારા હેતુ અને સારા કાર્યો એ સારા કર્મ અને સુખી પુનર્જન્મ માટે ફાળો આપે છે, જ્યારે ખરાબ ઉદ્દેશ અને ખરાબ કાર્યો ખરાબ કર્મ અને ખરાબ પુનર્જન્મમાં ફાળો આપે છે.[2][3]
કર્મનું તત્વજ્ઞાન એ ભારતીય ધર્મો (ખાસ કરીને હિંદુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને શીખ ધર્મ [4]) તેમજ તાઓવાદમાં પુનર્જન્મના વિચાર સાથે ગાઢ રીતે સંકળાયેલ છે.[5] આ વિચારપદ્ધતિમાં, વર્તમાનમાં કરવામાં આવેલ કર્મ આ જન્મમાં વ્યક્તિના ભાવિ તેમજ ભાવિ જીવનની પ્રકૃતિ અને ગુણવત્તાને અસર કરે છે, જેને સંસાર પણ કહેવાય છે.[6][7]