કાંકરિયા તળાવ
કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું / From Wikipedia, the free encyclopedia
કાંકરિયા તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું તળાવ છે. આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મણીનગર વિસ્તારમાં આવેલું છે. આ તળાવનો પરિઘ આશરે ૨.૫ કિલોમીટર છે.[1] કાંકરિયા તળાવની મધ્યમાં એક બાગ આવેલો છે જેનું નામ નગીના વાડી છે (નગીના શબ્દનો અર્થ ઉર્દૂમાં સુંદર થાય છે). તળાવના એક છેડેથી એનો પ્રવેશ બાંધેલો છે જે તળાવના મધ્ય સુધી લઇ જાય છે. કાંકરિયા તળાવ સહેલાણીઓ માટેનું એક આકર્ષણસ્થળ છે જ્યાં ફરવા અને ખાણીપીણીની ઘણી સુવિધા ઉપલબ્ધ છે. વર્ષના બારે મહિના લોકો સાંજના સમયથી મોડી રાત્રી સુધી અહીં ફરવા જાય છે.
કાંકરિયા તળાવ | |
---|---|
કાંકરિયા કાર્નિવલ સમયે કાંકરિયા તળાવનું રાત્રિ દૃશ્ય | |
સ્થાન | અમદાવાદ, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23.006°N 72.6011°E / 23.006; 72.6011 |
તળાવ પ્રકાર | કૃત્રિમ તળાવ |
બેસિન દેશો | ભારત |
કિનારાની લંબાઈ૧ | 3.15 km (1.96 mi) |
ટાપુઓ | નગીના વાડી |
રહેણાંક વિસ્તાર | અમદાવાદ |
૧ કિનારાની લંબાઇ એ યોગ્ય માપદંડ નથી. |
કાંકરિયા તળાવ પ્રાંગણમાં અંબુભાઈ પુરાણી વ્યાયામશાળા, માછલીઘર, પ્રાણી સંગ્રહાલય અને બાલવાટિકા આવેલાં છે. દર વર્ષે ૨૫થી ૩૧ ડિસેમ્બર સુધી કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરવામાં આવે છે. આ સાપ્તાહીક કાર્યક્રમમાં સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.[2]