જગન્નાથપુરી
From Wikipedia, the free encyclopedia
પુરી અથવા જગન્નાથપુરી ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. પુરી પુરી જિલ્લાનું મુખ્ય મથક છે. આ એજ નગર છે જ્યાં ભારતની અને વિશ્વની સૌથી મોટી રથયાત્રાનું દર વર્ષની અષાઢી બીજનાં દિવસે આયોજન થાય છે જેમાં લાખો લોકો ભાગ લે છે.[1] જગન્નાથપુરીમાં દર વર્ષે ભગવાનનાં ત્રણે રથો નવેસરથી તૈયાર કરવામાં આવે છે. પુરીનાં જગન્નાથ મંદિરમાં ભારતીય હિંદુ સિવાય અન્યને પ્રવેશ મળતો નથી, પણ રથયાત્રાને દિવસે નાત જાતનાં ભેદ ભાવ વગર હર કોઇ દર્શન કરી શકે છે તથા રથ ખેંચી શકે છે.
Quick Facts પુરી જગન્નાથપુરી, દેશ ...
પુરી
જગન્નાથપુરી | |
---|---|
શહેર | |
પુરીની ઝલક | |
અક્ષાંશ-રેખાંશ: 19°48′38″N 85°49′53″E | |
દેશ | ભારત |
રાજ્ય | ઑડિશા |
જિલ્લો | પુરી |
ઊંચાઇ | ૦ m (૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | ઓડિઆ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૭૫૨૦૦x |
ટેલિફોન કોડ | ૦૬૭૫૨ |
વાહન નોંધણી | 0R-13 |
બંધ કરો