બ્રાહ્મણ
એક હિન્દૂ વર્ણ / From Wikipedia, the free encyclopedia
બ્રાહ્મણ એ ભારતીય ઉપખંડમાં મહત્વના એવા હિંદુ ધર્મની વર્ણવ્યવસ્થા મુજબનાં ચાર વર્ણો પૈકીનો એક વર્ણ છે. હિંદુ ધર્મ અનુસાર બ્રાહ્મણનાં નિયત કર્મોમાં શિક્ષણ, યજ્ઞ-યાજન અને આધ્યાત્મિક કાર્યોનો સમાવેશ થાય છે. આદિકાળથી બ્રાહ્મણો રાજાના સલાહકાર, રાજપુરોહિત કે આચાર્ય તરીકેનું સમ્માનીય સ્થાન ધરાવતા આવ્યા છે.[1][2][3]