હસ્તિનાપુર
From Wikipedia, the free encyclopedia
હસ્તિનાપુર (સંસ્કૃત: हस्तिनापुरम्, हास्तिनपुरम्) જેનું મૂળ નામ છે હાસ્તિનપુર તે ઉત્તર પ્રદેશના મેરુત જિલ્લામાં આવેલું અતિ પ્રાચિન અને ઐતિહાસીક નગર છે. હસ્તિનાપુર કુરુકુળની રાજધાની હોવાથી મહાભારતમાં તેનો ઉલ્લેખ વારંવાર જોવા મળે છે. મહાભારત અનુસાર રાજા દુષ્યંતના પુત્ર ભરતના પ્રપૌત્ર રાજા હસ્તિએ ગંગા નદીને કિનારે આ નગર વસાવ્યું હતું. આ નગર કૌરવો અને પાંડવોની રાજધાની હતી. દિલ્હીની ઉત્તર-પૂર્વે (ઈશાન ખૂણે) આશરે ૯૧ કિમી. ના અંતરે આ નગરના અવશેષો મળી આવેલ છે. આ અવશેષો ગંગા નદીના પ્રવાહમાં ધોવાઈ ગયા છે.[1]