ભારતના ચોથા રાષ્ટ્રપતિ From Wikipedia, the free encyclopedia
વરાહગીરી વેંકટગીરી (ઉચ્ચાર (મદદ·માહિતી)) (૧૦ ઓગસ્ટ ૧૮૯૪ – ૨૪ જૂન ૧૯૮૦), અથવા વી. વી. ગીરી ૨૪ ઓગસ્ટ ૧૯૬૯થી ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ સુધી ભારતના ચોથા રાષ્ટ્રપતિ હતા. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા એકમાત્ર વ્યક્તિ હતા.[3]૧૯૭૪માં ફકરુદ્દીન અલી અહેમદ તેમના અનુગામી તરીકે ચૂંટાયા હતા.[4] રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ ૧૯૭૫માં ભારત સરકાર દ્વારા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા. ૨૪ જૂન ૧૯૮૦ના રોજ તેમનું અવસાન થયું.
વરાહગીરી વેંકટગીરી | |
---|---|
વી. વી. ગીરી | |
૪થા ભારતના રાષ્ટ્રપતિ | |
પદ પર ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ – ૨૪ ઓગસ્ટ ૧૯૭૪ | |
ઉપ રાષ્ટ્રપતિ | ગોપાલ સ્વરૂપ પાઠક |
પુરોગામી | મોહમ્મદ હિદાયતુલ્લા (કાર્યકારી) |
અનુગામી | ફકરુદ્દીન અલી અહેમદ |
પદ પર ૩ મે ૧૯૬૯ – ૨૦ જુલાઈ ૧૯૬૯ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | ઝાકીર હુસૈન |
અનુગામી | મોહમ્મદ હિદાયતુલ્લા (કાર્યકારી) |
૩જા ભારતના રાષ્ટ્રપતિ | |
પદ પર ૧૩ મે ૧૯૬૭ – ૩ મે ૧૯૬૯ | |
રાષ્ટ્રપતિ | ઝાકીર હુસૈન |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
પુરોગામી | ઝાકીર હુસૈન |
અનુગામી | ગોપાલ સ્વરૂપ પાઠક |
કર્ણાટકના રાજ્યપાલ | |
પદ પર ૨ એપ્રિલ ૧૯૬૫ – ૧૩ મે ૧૯૬૭ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
મુખ્યમંત્રી | એસ. નિજલિંગપ્પા |
પુરોગામી | સત્યવંત મલ્લાનાહ શ્રીનાગેશ |
અનુગામી | ગોપાલ સ્વરૂપ પાઠક |
કેરળના રાજ્યપાલ | |
પદ પર ૧ જુલાઈ ૧૯૬૦ – ૨ એપ્રિલ ૧૯૬૫ | |
મુખ્યમંત્રી | પી. ટી. પિલ્લાઈ આર. શંકર |
પુરોગામી | બર્ગુલા રામાક્રિષ્ના રાવ |
અનુગામી | અજીત પ્રસાદ જૈન |
ઉત્તર પ્રદેશના રાજ્યપાલ | |
પદ પર ૧૦ જૂન ૧૯૫૬ – ૩૦ જૂન ૧૯૬૦ | |
મુખ્યમંત્રી | સંપૂર્ણાનંદ |
પુરોગામી | કનૈયાલાલ મુનશી |
અનુગામી | બર્ગુલા રામાક્રિષ્ના રાવ |
શ્રમ અને ઉદ્યોગ મંત્રી— મદ્રાસ પ્રેસીડન્સી | |
પદ પર ૩૦ એપ્રિલ ૧૯૪૬ – ૨૩ માર્ચ ૧૯૪૭ | |
મુખ્યમંત્રી | ટી. પ્રકાશમ |
અંગત વિગતો | |
જન્મ | વરાહગીરી વેંકટગીરી 10 August 1894 બરહામપુર ઓરિસા, ભારત |
મૃત્યુ | 24 June 1980 85) મદ્રાસ, તમિલનાડુ, [ભારત]] (હાલ ચેન્નઈ) | (ઉંમર
રાજકીય પક્ષ | અપક્ષ |
જીવનસાથી | સરસ્વતી બાઈ (૧૯૦૪–૧૯૭૮) |
સગાં-સંબંધીઓ | |
માતૃ શિક્ષણસંસ્થા | ખાલીકોટે કોલેજ યુઇવર્સિટી કોલેજ ડબલીન |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૭૫) |
તેમનો જન્મ બરહામપુર, ઓરિસામાં તેલુગુ ભાષી નિયોગી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.[5] તેમના પિતા વી. વી. જોગય્યા પંતુલુ એક સફળ વકીલ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા હતા.[6] તેમની માતા સુભદ્રાઅમ્મા અસહકારની ચળવળ અને સવિનય કાનૂનભંગની ચળવળ દરમિયાન બરહામપુરમાં રાષ્ટ્રીય આંદોલનમાં સક્રીય હતા. નાગરિક અવજ્ઞા આંદોલન દરમિયાન હડતાલનું નેતૃત્ત્વ કરવા બદલ તેમની ધરપકડ કરાવામાં આવી હતી.[7]તેમના લગ્ન સરસ્વતીબાઇ સાથે થયા હતા અને તેમને ૧૪ સંતાનો હતા.[8]તેમણે પોતાનું પ્રારંભિક શિક્ષણ બરહામપુરની ખલીલકોટ કોલેજથી પુરૂં કર્યું.[9] ૧૯૩માં તેઓ કાયદાશાસ્ત્રના અભ્યાસ માટે આયરલેન્ડ ગયા. અહીં તેમણે યુનિવર્સિટી કોલેજ ડબલીન ખાતે ૧૯૧૩થી ૧૯૧૬ દરમિયાન અભ્યાસ કર્યો..[10]
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ ડબલીનથી લંડન ગયા અને ત્યાં મહાત્મા ગાંધી સાથે મુલાકાત કરી.[11] ગાંધીજીની ઇચ્છાને માન આપી તેઓ યુદ્ધ દરમિયાન રેડક્રોસ સ્વયંસેવક તરીકે જોડાયા.[12] અભ્યાસ દરમિયાન તેઓ ભારતીય અને આયરીશ બન્ને રાજનીતિમાં સક્રીય રહ્યા. સાથી ભારતીય વિદ્યાર્થીઓ સાથે મળીને તેમણે દક્ષિણ આફ્રિકામાં ભારતીયો પર તથા અત્યાચાર વિરુદ્ધ ચોપાનિયાં તૈયાર કર્યા હતા. આ ચોપાનિયાં ભારતીય રાજનૈતિક ખુફિયા વિભાગ દ્વારા જપ્ત કરાતાં ડબલીનમાં ગીરી અએ તેમના સાથીઓ પર પોલીસનો જાપ્તો વધ્યો હતો.[11] તેમનો સંબંધ ઇસ્ટર રાઇઝીંગના પ્રમુખ નેતાઓ જેમ્સ કોનોલી, પેટ્રીક પિયર્સ તથા એમોન ડી વેલેરા સાથે હોવાની શંકા પણ પોલીસ દ્વારા સેવવામાં આવી.[13][14][15] ઇસ્ટર રાઇઝીંગ આંદોલન બાદ ભારતીય વિદ્યાર્થીઓ પર પોલીસે છાપા માર્યા. ગીરીના જણાવ્યા અનુસાર તેમને ૧ જૂન ૧૯૧૬ પહેલાં આયરલેન્ડ છોડવાની નોટીસ આપવામાં આવી.[16]
તેમણે ૨૪ ઓગસ્ટ ૧૯૬૯ના રોજ ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા.[17] તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા એકમાત્ર વ્યક્તિ હતા.[18]
રાષ્ટ્રપતિ તરીકે ગીરીએ ઉત્તર પ્રદેશમાં ચરણસિંહ સરકારને બરખાસ્ત કરવાના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના નિર્ણયને કોઈ પ્રકારના વિચાર વિમર્શ વિના જ સ્વીકાર કરી ૧૯૭૧માં તત્કાળ ચૂંટણી માટે મંજૂરી આપી દીધી.[19] રાજ્ય સભામાં સરકારના ખરડાની હાર છતાં ગીરીએ દેશી રાજ્યોના પૂર્વવર્તી શાસકોને મળતા વિશેષાધિકારો અને સાલિયાણાં સમાપ્ત કરવાનો અધ્યાદેશ બહાર પાડ્યો હતો.[20] ભારતના રાષ્ટ્રપતિ તરીકે ગીરીએ દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, સોવિયેત યુનિયન તથા આફ્રિકાના ૨૨ દેશોની ૧૪ રાજ્ય યાત્રાઓ કરી હતી.[21][22]
ગીરીને એક એવા રાષ્ટ્રપતિ માનવામાં આવે છે જે પૂર્ણ રીતે વડાપ્રધાનને આધીન હતા. પ્રધાનમંત્રીના રાષ્ટ્રપતિ,[23] વફાદાર રાષ્ટ્રપતિ, રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ તરીકે ઓળખાતા વી. વી. ગીરીના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિ કાર્યાલયની સ્વતંત્રતા અને શક્તિઓ ક્ષીણ થઈ ગઈ.[24][25][26] ૧૯૭૪માં તેમનો કાર્યકાળ પૂરો થતાં તેમને પુન:અવસર ન આપતાં ઈન્દિરા ગાંધીએ રાષ્ટ્રપતિ તરીકે ફકરુદ્દીન અલી અહેમદ ઉપર પસંદગી ઉતારી.[27]
૨૪ જૂન ૧૯૮૦ના રોજ મદ્રાસ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું.[28] બીજા દિવસે પૂરા રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરવામાં આવી તથા ભારત સરકાર દ્વારા એક સપ્તાહનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો.[29] રાજ્ય સભા, જ્યાં તેઓ ઉપરાષ્ટ્રપતિ તરીકે અધ્યક્ષ રહ્યા હતા, તેમના સન્માનમાં બે દિવસની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી.[30]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.