સોમ નાથ શર્મા
From Wikipedia, the free encyclopedia
મેજર સોમ નાથ શર્મા ભારતના સર્વોચ્ચ લશ્કરી પુરસ્કાર પરમવીર ચક્ર મેળવનાર પ્રથમ વ્યક્તિ હતા.[2] નવેમ્બર ૧૯૪૭માં કાશ્મીરમાં કાર્યવાહી દરમિયાન વીરતા દાખવવા માટે તેમને પદક આપવામાં આવ્યો હતો. ૧૯૪૭-૪૮ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે શ્રીનગર હવાઈ મથક પરથી દુશ્મન ઘૂસણખોરોને ખદેડતી વખતે તેઓ શહીદ થઈ ગયા હતા. તેઓ ૪થી કુમાઉ રેજિમેન્ટમાં અફસર હતા.
Quick Facts મેજરસોમનાથ શર્મા PVC, જન્મ ...
મેજર સોમનાથ શર્મા PVC | |
---|---|
વર્ષ ૨૦૦૩ની ટપાલ ટિકિટ પર સોમનાથ શર્મા | |
જન્મ | (1923-01-31)31 January 1923 દધ, કાંગડા જિલ્લો, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત (વર્તમાન હિમાચલ પ્રદેશ, ભારત) |
મૃત્યુ | 3 November 1947(1947-11-03) (ઉંમર 24) બડગામ, ભારત |
દેશ/જોડાણ | ઢાંચો:Country data British India India |
સેવા/શાખા | ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૪૨–૧૯૪૭ |
હોદ્દો | મેજર |
સેવા ક્રમાંક | IC-521[1] |
દળ | ૪ થી બટાલીયન, કુમાઊ રેજીમેન્ટ |
યુદ્ધો | દ્વિતીય વિશ્વ યુદ્ધ
૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ
|
પુરસ્કારો | |
સંબંધો | જનરલ વી.એન. શર્મા (ભાઈ) |
બંધ કરો