From Wikipedia, the free encyclopedia
કલિંગનુ યુદ્ધ (Sanskrit: कलिन्ग युध्धम्) મૌર્ય વંશના સમ્રાટ અશોક અને કલિંગ ગણરાજ્ય (હાલના ઓરિસ્સાની દરિયાઇ સીમા પર વસતુ ગણરાજ્ય) વચ્ચે ઇ.સ. પૂર્વે ૨૬૧ માં થયુ હતુ. આ ભારતીય ઉપખંડના ભીષણ યુદ્ધમાંનું એક ગણવામાં આવે છે. આ યુદ્ધમાં કલિંગ ગણરાજ્યના ૧,૦૦,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા. અશોકના પોતાના ૧૦,૦૦૦થી વધારે સૈનિકો માર્યા ગયા હતા. યુદ્ધના અંતે અશોકની જીત થઈ હતી.
કલિંગનુ યુદ્ધ | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||
યોદ્ધા | |||||||||
મૌર્ય સામ્રાજ્ય | કલિંગ | ||||||||
સેનાનાયક | |||||||||
અશોક | મહા પદ્મનાભ | ||||||||
શક્તિ/ક્ષમતા | |||||||||
કુલ ૨,૦૦,૦૦૦ | ૧,૫૦,૦૦૦ પાયદળ,[2] ૧૦,૦૦૦ ઘોડસવારો[3] ૭૦૦ યુદ્ધ હાથીદળ[2] | ||||||||
મૃત્યુ અને હાની | |||||||||
૫૦,૦૦૦+ | ૧,૦૦,૦૦ (અશોક અનુસાર)[4][5] |
કલિંગનુ યુદ્ધ દયા નદીના કિનારે, ધવલી (ધૌલી) પર્વત પાસે થયું હોવાનુ માનવામાં આવે છે. યુદ્ધ સમયે કલિંગ ગણરાજ્યનો નાયક અનંત પદ્મનાભન હતો.
કલિંગનુ યુદ્ધ અશોકના જીવન પરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવસંહારે તેનું મન ગ્લાનિ અને વેદનાથી ભરાઇ ગયુ. પછીથી બૌદ્ધ ધર્મથી પ્રભાવિત થઇ તેને બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો અને અહિંસા અને ધમ્મ-વિજયમાં (ધર્મ દ્વારા વિજય) પ્રવૃત થઈ ગયો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાય છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.