From Wikipedia, the free encyclopedia
ગુરૂ શિખર, અરવલ્લી પર્વતમાળા, રાજસ્થાનનું સૌથી ઉંચુ શિખર છે. તેની ઊંચાઇ ૧,૭૨૨ મીટર (૫,૬૭૬ ફીટ) છે.[1] માઉન્ટ આબુથી તે ૧૫ કિમી દૂર આવેલું છે અને ત્યાંથી રસ્તો લગભગ ટોચ સુધી જાય છે.[2] તેનું નામ વિષ્ણુના અવતાર ગુરૂ દત્તાત્રેય ના નામ પરથી પડ્યું છે. તેમને સમર્પિત ગુફા ટોચ પર આવેલી છે અને તેમની માતા - અનસુયા, અત્રિની પત્નિ, ની ગુફા પણ નજીકમાં આવેલી છે.[3]
ગુરૂ શિખર | |
---|---|
गुरू शिखर | |
અરવલ્લી પર્વતમાળા ગુરૂ શિખર પરથી | |
શિખર માહિતી | |
ઉંચાઇ | 1,722 m (5,650 ft) |
અક્ષાંસ-રેખાંશ | 24°38′59.5″N 72°46′34.5″E |
ભૂગોળ | |
પિતૃ પર્વતમાળા | અર્બુદા પર્વતમાળા, અરવલ્લી |
મંદિરની બાજુમાં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા દ્વારા સંચાલિત માઉન્ટ આબુ વેધશાળા આવેલી છે. આ વેધશાળામાં ૧.૨મી ઇન્ફ્રારેડ ખગોળીય દૂરબીન આવેલું છે અને અન્ય ખગોળશાસ્ત્રીય પરીક્ષણો પણ થાય છે.[4]
અગ્નિવંશી એવો દાવો કરે છે તેઓ ગુરૂ શિખર પરના યજ્ઞના હિંદુ દેવ અગ્નિના વંશજ છે. ચાર રજપૂત કૂળો અગ્નિવંશી હોવાનું ગણાય છે: ચૌહાણ, પરમાર, સોલંકી, અને પરિહાર.[સંદર્ભ આપો]
અર્બુદ વંશના રાજપૂતો પરમાર કહેવાય છે અને તેઓ ગુરૂ શિખર પરના અગ્નિકુંડમાંથી પ્રગટ્યા હોવાનું મનાય છે. ૧૭૭૮માં ભારતના છેલ્લા હિંદુ રાજા પૃથ્વીરાજ ચૌહાણે પ્રહલાદનની પુત્રી સાથે લગ્ન કરવા માટે આ રસ્તો પાર કર્યો હોવાનું મનાય છે. પ્રહલાદન એ પ્રહલાદનપુરનો સ્થાપક હતો, જે છેલ્લી ૨-૩ સદીથી પાલનપુર કહેવાય છે. પ્રહલાદન ધારવર્ષ પરમારનો નાનો ભાઇ હતો, જે અર્બુદ, માઉન્ટ આબુનો શાસક હતો.[સંદર્ભ આપો]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.