![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/94/Gulzarilal_Nanda_1999_stamp_of_India.jpg/640px-Gulzarilal_Nanda_1999_stamp_of_India.jpg&w=640&q=50)
ગુલઝારીલાલ નંદા
From Wikipedia, the free encyclopedia
ગુલઝારીલાલ નંદા (૪ જુલાઈ, ૧૮૯૮ - ૧૫ જાન્યુઆરી, ૧૯૯૮) ભારતીય રાજકારણી હતા. એમનો જન્મ સિયાલકોટ, પંજાબ, પાકિસ્તાન ખાતે થયો હતો. તેઓ ઈ. સ. ૧૯૬૪ના વર્ષમાં ભારત દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના અવસાન પછી કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. કોંગ્રેસ પક્ષ પ્રતિ સમર્પિત એવા ગુલઝારીલાલ નંદા પ્રથમ વાર પંડિત જવાહરલાલ નેહરુના અવસાન બાદ, અને ત્યાર પછી ઈ. સ. ૧૯૬૬ના વર્ષમાં લાલ બહાદુર શાસ્ત્રીના અવસાન બાદ પણ કાર્યકારી વડાપ્રધાન બન્યા હતા. એમનો વડાપ્રધાન તરીકેનો કાર્યકાળ બંને વખત કોંગેસ પક્ષ દ્વારા નવા વડાપ્રધાન નક્કી કરવામાં આવ્યા, ત્યાં સુધી જ રહ્યો હતો. તેઓ ભારત દેશની પ્રથમ પાંચ લોકસભામાં ચુંટાઈ આવ્યા હતા. તેમણે કેબીનેટ કક્ષાના મંત્રી તરીકેના વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા.
Quick Facts ગુલઝારીલાલ નંદા, જન્મ ...
ગુલઝારીલાલ નંદા | |
---|---|
![]() | |
જન્મ | ૪ જુલાઇ ૧૮૯૮ ![]() |
મૃત્યુ | ૧૫ જાન્યુઆરી ૧૯૯૮ ![]() |
અભ્યાસ સંસ્થા | |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ![]() |
પદની વિગત | ભારતના વડાપ્રધાન (૧૯૬૬–૧૯૬૬), ગૃહમંત્રી (૧૯૬૩–૧૯૬૬) ![]() |
બંધ કરો
તેમનું ભારત રત્ન તેમ જ પદ્મવિભૂષણ તરીકે સન્માન કરવામાં આવ્યું હતું[1].