ભારતીય રેલ
From Wikipedia, the free encyclopedia
ભારતીય રેલ (IR भारेના ટૂંકા નામે ઓળખાતી (હિંદી: भारतीय रेल) ભારતની સરકાર હસ્તકની રેલવે કંપની છે અને તે દેશના મોટા ભાગના રેલ પરિવહનની માલિકી ધરાવે છે તથા તેનું સંચાલન કરે છે. ભારત સરકારના રેલવે મંત્રાલયનું તેના પર નિયંત્રણ છે. વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે. [4][5] 14 લાખ કરતાં વધુ કર્મચારીઓ સાથે તે વ્યાપારી કે ઉપયોગિતા ક્ષેત્રે વિશ્વનું સૌથી વિશાળ નોકરીદાતા છે.[6][4] દેશના તમામ વિસ્તારોને આવરી લેતા રેલવે તંત્ર પાસે 6,909 સ્ટેશન છે અને આ તમામ માર્ગ પર 63,327 kilometres (39,350 mi). રોલિંગ સ્ટોક મુજબ IR પાસે 200,000 વેગન (માલસામાનની હેરફેર માટે), 50,000 કોચ અને 8,000 એન્જિન છે.[4]
રેલવે મંત્રાલય, ભારત સરકાર | |
ઉદ્યોગ | રેલ્વે અને માલપરિવહન |
---|---|
સ્થાપના | ૮ મે ૧૮૪૫[1] |
મુખ્ય કાર્યાલય | દિલ્હી, ભારત |
સેવા અપવામાં અવતા વિસ્તારો | ભારત |
સેવાઓ | રેલ પરિવહન |
આવક | ₹૧.૮૭૪ trillion (US$૨૫ billion)[2] |
કર્મચારીઓ | ૧૩ લાખ ૮ હજાર[3] |
પિતૃ કંપની | રેલ મંત્રાલય, ભારત સરકાર |
વિભાગો | ૧૬ વિભાગો (કોંકણ રેલવે સિવાય) |
વેબસાઇટ | www.indianrailways.gov.in |
ભારતમાં ૧૮૫૩માં રેલવેનો પ્રારંભ થયો હતો. ભારતના સ્વાતંત્ર્યના વર્ષ 1947 સુધીમાં બેતાળીસ રેલ સીસ્ટમ હતી. 1951માં રેલવેની સેવાઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તથા તેને એક છત્ર હેઠળ આવરી લેવાઈ, જેના લીધે વિશ્વના સૌથી મોટા નેટવર્કમાં તેની ગણતરી થવા માંડી. બ્રોડ, મીટર અને નેરો જેવા વિવિધ ગેજ સાથે IR લાંબા અંતરની અને ઉપનગરીય સેવાઓની કામગીરી નિભાવે છે. તે એન્જિન અને કોચ ઉત્પાદનના એકમોની માલિકી ધરાવે છે.