From Wikipedia, the free encyclopedia
હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ભારતીય શાસ્ત્રીય સંગીતના બે મુખ્ય પ્રકારો પૈકીનો એક પ્રકાર છે. બીજો પ્રકાર છે - કર્ણાટક સંગીત.
૧૧મી અને ૧૨મી ઇસુની સદીના સમયમાં મુસ્લિમ સભ્યતાના ભારતમાં પ્રસારના કારણે ભારતીય સંગીતને નવો આયામ મળ્યો. પ્રો. લલીત કિશોર સિંહના કથન અનુસાર યૂનાની પાઇથાગોરસ અને અરબી ફારસી જેવા વિદેશી સંગીતનો પ્રભાવ આ પ્રકારના સંગીતના ઉદ્દભવનું કારણ હોવા છતાં મધ્યકાલીન કાળના મુસ્લિમ ગાયકો અને નાયકોએ પ્રાચીન ભારતીય ગાયનશૈલીને જાળવી રાખી છે.[1]
રાજદરબારો સંગીતકળાના મુખ્ય સંરક્ષક બન્યા અને આ કલાને જાળવી જ ન રાખી પણ વધુ ને વધુ પ્રોત્સાહન પૂરું પાડૂયું. અનેક શાસકોએ પ્રાચીન ભારતીય સંગીત અને સંગીતકારોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે પોતાની આવશ્યકતા અને રૌચી મૌજહ તેમાં ફેરફારો પણ કર્યા. હિંદુસ્તાની સંગીત માત્ર ઉત્તર ભારતનું જ નહીં પણ બાંગ્લાદેશ અને પાકીસ્તાનનું પણ શાસ્ત્રીય સંગીત છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.