અશોક
From Wikipedia, the free encyclopedia
અશોક (રાજ્યકાળ ઈ.સ. પૂર્વે ૨૬૮-૨૩૨) પ્રાચીન ભારતમાં મૌર્ય વંશનો રાજા હતો અને સમ્રાટ અશોક તરીકે ઇતિહાસમાં જાણીતો છે. તેના સમયમાં મૌર્ય સામ્રાજ્ય ઉત્તરમાં હિન્દુકુશની પહાડીઓથી દક્ષિણમાં ગોદાવરી નદીના દક્ષિણકાંઠા, તથા મૈસૂર સુધી અને પૂર્વમાં હાલના બાંગ્લાદેશથી પશ્ચિમમાં અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું હતું, જે તે સમયનું સૌથી મોટું ભારતીય સામ્રાજ્ય હતું. સમ્રાટ અશોકને વિશાળ સામ્રાજ્યના કુશળ શાસક તથા બૌદ્ધ ધર્મના પ્રચારક તરીકે ઓળખવામાં આવે છે.
અશોક | |
---|---|
ચક્રવર્તી[1][2] સમ્રાટ | |
અમરાવતી, આંધ્રપ્રદેશમાંથી મળેલી અશોકની ૧લી સદીની મૂર્તિ | |
૩જો મૌર્ય રાજા | |
શાસન | c. ૨૬૮ – c. ૨૩૨ ઈસ પૂર્વે[3] |
રાજ્યાભિષેક | ઈ.સ. પૂર્વે ૨૬૮[3] |
પુરોગામી | બિંદુસાર |
અનુગામી | દશરથ મૌર્ય |
જન્મ | ઈ.સ. પૂર્વે ૩૦૪ પાટલીપુત્ર, પટના |
મૃત્યુ | ઈ.સ. પૂર્વે ૨૩૨ (ઉંમર ૭૨) પાટલીપુત્ર, પટના |
Consort | અસાંધિમિત્રા |
પત્નીઓ |
|
વંશજ |
|
વંશ | મૌર્ય વંશ |
પિતા | બિંદુસાર |
માતા | શુભાદ્રંગી |
તેના જીવનકાળના ઉત્તરાર્ધમાં સમ્રાટ અશોકગૌતમ બુદ્ધનો અનુયાયી બની ગયો અને ભગવાન બુદ્ધની સ્મૃતિમાં તેણે એક સ્તંભનુ નિર્માણ કરાવ્યું જે આજે પણ નેપાળમાં ગૌતમ બુદ્ધના જન્મસ્થળ લુમ્બિનીમાં માયાદેવી મંદિર પાસે જોઈ શકાય છે. તેણે બૌદ્ધ ધર્મનો પ્રચાર ભારત ઉપરાંત શ્રીલંકા, અફઘાનિસ્તાન, પશ્ચિમ એશિયા, મિસ્ર તથા યુનાનમાં પણ કરાવ્યો હતો.