બૃહદારણ્યક ઉપનિષદ
From Wikipedia, the free encyclopedia
બૃહદરણ્યક ઉપનિષદ એ શુક્લ યજુર્વેદ સાથે જોડાયેલ એક્ ઉપનિષદ છે. વિશ્વના અતિપ્રાચીન ગ્રંથો પૈકીના એક્ એવા આ ગ્રંથમાં જીવ, બ્રહ્માંડ, અને ઇશ્વર વિષે લખવામાં આવ્યું છે. દાર્શનિક રુપે મહત્વપૂર્ણ આ ઉપનિષદ પર આદિ શંકરાચાર્યએ પણ ટીકા (ટીપ્પણી) લખી છે. આ શતપથ બ્રાહ્મણ ગ્રંથનો એક્ ખંડ પણ છે.
બ્રાહ્મણો દ્વારા બોલવામાં આવતા અને અતિ લોકપ્રિય પુરુષસૂક્ત અને તે ઉપરાંત અશ્વમેઘ, અસતમાં સદ્દગમય, નેતિ-નેતિ વગેરે તેના મુખ્ય વિષયો છે. તેમાં ઋષિ મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્ય વચ્ચેનો સંવાદ છે જે ક્રમબદ્ધ અને યુક્તિપૂર્ણ છે.