ઈન્દિરા ગાંધી
ભારતના વડા પ્રધાન અને રાજકારણી / From Wikipedia, the free encyclopedia
ઈન્દિરા ગાંધી (૨૯ નવેમ્બર ૧૯૧૭ - ૩૧ ઓક્ટોબર ૧૯૮૪) ભારત દેશનાં ૩જા અને પ્રથમ મહિલા વડાપ્રધાન છે. વર્ષ ૧૯૬૬થી ૧૯૭૭ અને ૧૯૮૦ થી ૧૯૮૪ (તેમની હત્યા સુધી) સુધી ૧૫ વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. ઈન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ઈન્દિરા ગાંધી | |
---|---|
ઇન્દિરા ગાંધી, ૧૯૬૭માં | |
ભારતના ૩જા વડાપ્રધાન | |
પદ પર ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ – ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ | |
રાષ્ટ્રપતિ | નીલમ સંજીવ રેડ્ડી જ્ઞાની ઝૈલસિંઘ |
પુરોગામી | ચરણ સિંહ |
અનુગામી | રાજીવ ગાંધી |
પદ પર ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ – ૨૪ માર્ચ ૧૯૭૭ | |
રાષ્ટ્રપતિ | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ડૉ. ઝાકીર હુસૈન વી. વી. ગીરી ફખ્રુદ્દદિન અલી અહમદ |
ડેપ્યુટી | મોરારજી દેસાઈ |
પુરોગામી | ગુલઝારીલાલ નંદા (કાર્યકારી) |
અનુગામી | મોરારજી દેસાઈ |
વિદેશ પ્રધાન | |
પદ પર ૯ માર્ચ ૧૯૮૪ – ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ | |
પુરોગામી | પી વી નર્સિમહા રાવ |
અનુગામી | રાજીવ ગાંધી |
પદ પર ૨૨ ઓગસ્ટ ૧૯૬૭ – ૧૪ માર્ચ ૧૯૬૯ | |
પુરોગામી | એમ સી ચગલા |
અનુગામી | દિનેશ સિંહ |
સંરક્ષણ પ્રધાન | |
પદ પર ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ – ૧૫ જાન્યુઆરી ૧૯૮૨ | |
પુરોગામી | ચિદમ્બરમ્ સુબ્રમનિયમ |
અનુગામી | આર વેંકતરામ |
પદ પર ૩૦ નવેમ્બર ૧૯૭૫ – ૨૦ ડિસેમ્બર ૧૯૭૫ | |
પુરોગામી | સ્વરણ સિંહ |
અનુગામી | બંસી લાલ |
ગૃહ પ્રધાન | |
પદ પર ૨૭ જૂન ૧૯૭૦ – ૪ ફેબ્રુઆરી ૧૯૭૩ | |
પુરોગામી | યશવંત રાવ ચવણ |
અનુગામી | ઉમાશંકર દીક્ષિત |
નાણાં પ્રધાન | |
પદ પર ૧૭ જુલાઈ ૧૯૬૯ – ૨૭ જૂન ૧૯૭૦ | |
પુરોગામી | મોરારજી દેસાઈ |
અનુગામી | યશવંત રાવ ચવણ |
માહિતી અને પ્રસારણ પ્રધાન | |
પદ પર ૯ જૂન ૧૯૬૪ – ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ | |
પ્રધાન મંત્રી | લાલ બહાદુર શાસ્ત્રી |
પુરોગામી | સત્ય નારાયણ સિન્હા |
અનુગામી | કોદરદાસ કાલિદાસ શાહ |
અંગત વિગતો | |
જન્મ | ઈન્દિરા પ્રિયદર્શિની નહેરૂ ૧૯ નવેમ્બર ૧૯૧૭ અલ્હાબાદ, આગરા અને ઊધ ની યુનાઈટેડ પ્રોવિન્સ, બ્રિટિશ ઇન્ડિયા (હાલમાં પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ, ભારત) |
મૃત્યુ | 31 October 1984(1984-10-31) (ઉંમર 66) નવી દિલ્હી, ભારત |
મૃત્યુનું કારણ | હત્યા |
અંતિમ સ્થાન | શક્તિ સ્થળ |
જીવનસાથી | |
સંતાનો | રાજીવ ગાંધી સંજય ગાંધી |
માતા-પિતા | જવાહરલાલ નહેરુ (પિતા) કમલા નેહરુ (માતા) |
માતૃ શિક્ષણસંસ્થા | વિશ્વ ભારતી યુનિવર્સિટી [1] સોમરવિલ કોલેજ ઓક્સફોર્ડ [1] |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૭૧) બાંગ્લાદેશ ફ્રિડમ ઓનર (૨૦૧૧) |
સહી |
ઈન્દિરાના દાદા મોતીલાલ નહેરુ જાણીતા ભારતીય રાષ્ટ્રવાદી નેતા હતા. તેમના પિતા જવાહરલાલ નહેરુ ભારતની સ્વતંત્રતા ચળવળના આગળ પડતા નેતા અને સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ઈન્દિરા ૧૯૪૧માં ઑકસફર્ડ યુનિવર્સિટીથી ભારત પાછા ફર્યાં બાદ, ભારતની સ્વતંત્રતા ચળવળમાં સામેલ થઈ ગયાં હતાં.
૧૯૫૦ના દાયકામાં ઈન્દિરાએ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ સાથે રહીને અનૌપચારિક ધોરણે તેમની અંગત મદદનીશની ભૂમિકા અદા કરી હતી. ૧૯૬૪માં તેમના પિતાના અવસાન બાદ ભારતના રાષ્ટ્રપતિએ તેમને રાજ્ય સભાના સદસ્ય તરીકે નિમણૂક આપી હતી. ઈન્દિરા માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રધાન તરીકે લાલ બહાદુર શાસ્ત્રીની કેબિનેટના મંત્રી બન્યા હતાં.
શાસ્ત્રીજીના અચાનક અવસાન બાદ ઈન્દિરાને વડાપ્રધાન બનાવવામાં ત્યારની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ કે. કામરાજની મુખ્ય ભૂમિકા હતી. ઈન્દિરાએ થોડાજ વખતમાં ચૂંટણી જીતવાની અને લોકપ્રિયતાવાદના બળે દાવપેચ-યુકિતથી સામેવાળાને હરાવવાની ક્ષમતા બતાવવા માંડી હતી. તેણે વધુ ડાબેરી આર્થિક નીતિઓ અમલમાં મૂકી હતી અને કૃષિ ઉત્પાદનને પ્રોત્સાહન આપ્યું હતું. ૧૯૭૧માં પાકિસ્તાન સાથેની લડાઈમાં નિર્ણાયક વિજય મેળવ્યો હતો. ૧૯૭૫માં ઈન્દિરાએ કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી, પણ આ સમયગાળામાં પોતાની સત્તાના વધુ પડતા ઉપયોગનું પરિણામ તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું. ૧૯૮૦માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં, તે પછી પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષમાં ઈન્દિરા સતત ઊંડા ઊતરતાં ગયાં. જેના અંતસ્વરૂપ ૧૯૮૪માં તેમના જ અંગરક્ષકોએ તેમની હત્યા કરી.